સત્તા ગુમાવતા જ મમતા બેનર્જી સામે FIR!
સત્તા ગુમાવતા જ મમતા બેનર્જી સામે FIR!
Published on: 26th May, 2026

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુશ્કેલીઓમાં વધારો થયો છે, સત્તા ગુમાવતા જ તેમની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. એડવોકેટ રિંકી ચેટર્જી સિંઘે સિલીગુડી સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે મમતા બેનર્જીએ ગત વર્ષે ઈદના તહેવાર પર સનાતન ધર્મને "ગંદો ધર્મ" ગણાવીને અશોભનિય ટિપ્પણી કરી હતી. આ નિવેદનને લઈને BNS કલમ 351 (1) 352, 353 (2) હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. આ કાનૂની પગલું રાજ્યના રાજકારણમાં ફરી ગરમાવો લાવી શકે છે.