PM મોદીના જન્મદિવસ પર અમિત શાહ ગુજરાત આવશે
PM મોદીના જન્મદિવસ પર અમિત શાહ ગુજરાત આવશે
Published on: 15th September, 2026

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેઓ વડનગરથી ‘વડનગરથી વારાણસી’ યુવા બાઇક યાત્રાને પ્રસ્થાન કરાવશે. આ યાત્રા 250 સેવા યાત્રીઓ સાથે 20 દિવસ ચાલશે. અમદાવાદના કાંકરિયા ખાતે 1.25 લાખ દીવડા પ્રગટાવવાના ઐતિહાસિક કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે. વિવિધ સ્થળોએથી જળ કળશ એકત્ર કરી વડનગરના હાટકેશ્વર મહાદેવનું પૂજન બાદ પવિત્ર જળ કાશી વિશ્વનાથ લઈ જવાશે.