મુંબઈમાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત જૈન મુનિ સારવાર દરમિયાન કાળધર્મ પામ્યા
મુંબઈમાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત જૈન મુનિ સારવાર દરમિયાન કાળધર્મ પામ્યા
Published on: 07th July, 2026

મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં બેસ્ટ બસની ટક્કરમાં ગંભીર રીતે ઘાયલ થયેલા જૈન સંત પૂજ્ય મુનિરાજ શ્રી પ્રિયદર્શી વિજયજી મહારાજ સાહેબ (55)નું સારવાર દરમિયાન નિધન થતાં જૈન સમાજમાં શોક છવાયો છે. અકસ્માત બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી ન્યુરો સર્જરી કરવામાં આવી હતી, પરંતુ તેઓ બચી શક્યા નહીં. પાર્કસાઈટ પોલીસે બસ ડ્રાઈવર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જૈન સંસ્થાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને બસ સ્ટોપ નજીક વાહનો ધીમા ચલાવવા તેમજ ડ્રાઈવરોને વધુ તાલીમ આપવાની માંગ કરી છે.