સામાન્ય લોકોને અંતરિક્ષયાત્રી બનવાની તક આપી ISROએ
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)એ હાલમાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે. ISROએ જાહેરાત કરી છે કે STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ)નું બેકગ્રાઉન્ડ ધરાવતાં નાગરિકો હવે અંતરિક્ષ મિશન ગગનયાન માટે અરજી કરી શકશે. આ નિર્ણય ભારતની અંતરિક્ષયાત્રી પસંદગીની પદ્ધતિમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર દર્શાવે છે અને સ્પેસ એક્સપ્લોરેશનમાં દેશની વધતી મહત્ત્વાકાંક્ષાઓને દેખાડે છે.
સામાન્ય લોકોને અંતરિક્ષયાત્રી બનવાની તક આપી ISROએ
બેન્ક ફ્રોડ કેસમાં અનિલ અંબાણી ગ્રૂપની સાણંદની જમીન સહિત ₹3,034 કરોડની સંપત્તિ જપ્ત
અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ કમ્યુનિકેશન્સ અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં 3,034.90 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. આ કાર્યવાહી બાદ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ વિરુદ્ધ અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવેલી કુલ સંપત્તિનો આંકડો 19,344 કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. તપાસ દરમિયાન EDએ પ્રમોટર ગ્રુપની ઘણી મોંઘી સંપત્તિઓ શોધી PMLA હેઠળ અસ્થાયી રૂપે જપ્ત કરી છે. આ સંપત્તિઓમાં મુંબઈની ઉષા કિરણ બિલ્ડિંગમાં આવેલો એક લક્ઝરી ફ્લેટ અને પુણેના ખંડાલામાં આવેલું ફાર્મહાઉસ સામેલ છે.
બેન્ક ફ્રોડ કેસમાં અનિલ અંબાણી ગ્રૂપની સાણંદની જમીન સહિત ₹3,034 કરોડની સંપત્તિ જપ્ત
જમીનમાં 8440 ફૂટ નીચે ભારતીય કંપનીને મળ્યો ઓઇલ અને ગેસનો ભંડાર!
ભારતના ઊર્જા ક્ષેત્ર માટે સારા સમાચાર મળ્યા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે, આફ્રિકન દેશ લિબિયામાં ભારતીય કંપનીઓને ક્રૂડ ઓઇલ અને ગેસનો નવો ભંડાર મળ્યો છે. આ મહત્ત્વની શોધ લિબિયાના ગદામસ બેસિન વિસ્તારમાં થઈ છે. આ પ્રોજેક્ટમાં ભારતની જાણીતી કંપનીઓ 'ઓઇલ ઇન્ડિયા લિમિટેડ' અને 'ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ' ભાગીદાર તરીકે કામ કરી રહી છે, જ્યારે અલ્જેરિયાની કંપની સિપેક્સ આ પ્રોજેક્ટનું સંચાલન કરી રહી છે.
જમીનમાં 8440 ફૂટ નીચે ભારતીય કંપનીને મળ્યો ઓઇલ અને ગેસનો ભંડાર!
અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે!
UPમાં આર્થિક ક્રાંતિ લાવવા જઈ રહેલો આ એક્સપ્રેસવે એન્જિનિયરિંગની અદભૂત નમૂનો છે. જેમાં લાખો ટન કચરાનો ઉપયોગ કરીને પર્યાવરણને બચાવવાનો પ્રયાસ થયો છે, તો બીજી તરફ તે ડિજિટલ નેટવર્કથી પણ સજ્જ છે. આ એક્સપ્રેસવે પર સુરક્ષા માટે સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (STMS) લગાવવામાં આવી છે, જે વોર રૂમ જેવા કંટ્રોલ રૂમથી સંચાલિત થશે. જો કોઈ વાહન ખોટી દિશામાં વળશે કે અકસ્માત થશે, તો AI તરત જ કંટ્રોલ રૂમમાં રેડ એલર્ટ મોકલશે. જો કોઈ ગાડી 2 મિનિટથી વધુ સમય માટે હાઈવે પર ઉભી રહેશે, તો AI તેનું લોકેશન નજીકના પેટ્રોલિંગ યુનિટને મોકલી દેશે.
અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે!
ભારત દુનિયાનો 5મો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરતો દેશ બન્યો!
વર્ષ 2025માં દુનિયાભરમાં પોતાની સેનાઓ પર સૌથી વધુ ખર્ચ કરનારા દેશોની યાદીમાં ભારત પાંચમા સ્થાને રહ્યું છે. વૈશ્વિક સૈન્ય ખર્ચમાં ભારતની હિસ્સેદારી 3.2% રહી છે. પાકિસ્તાન આ મામલે ભારતની આસપાસ પણ ઊભેલું દેખાતું નથી. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા રિપોર્ટ અનુસાર, અમેરિકા (USA), ચીન, રશિયા અને જર્મની આ લિસ્ટમાં ટોપ 4 દેશો છે. ત્યારબાદ ભારત 5મા નંબર પર છે. 2025માં ભારતનો સૈન્ય ખર્ચ 92.1 અબજ ડોલર રહ્યો, જે અગાઉના વર્ષની સરખામણીમાં 8.9% વધુ છે.
ભારત દુનિયાનો 5મો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરતો દેશ બન્યો!
હોર્મુઝના કારણે બમણા ભાવે યુરિયા ખરીદવું પડ્યું તો ભારતે શોધી કાઢ્યો રસ્તો!
ભારત અને રશિયા અંદાજે 2 અબજ ડૉલરના ખર્ચે રશિયાના ટોલિયાટ્ટી શહેરમાં એક વિશાળ યુરીયા ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ રશિયાની યુરાલકેમ અને ભારતની ઈન્ડિયન પોટાશ, રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ(RCF) અને નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ(NFL)ના સંયુક્ત સાહસ દ્વારા સાકાર કરવામાં આવશે. આ પ્લાન્ટ આગામી બે વર્ષમાં તૈયાર થઈ જવાની શક્યતા છે અને તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 20 લાખ ટન જેટલી હશે, જે ભારત માટે ખાતરના નિશ્ચિત સ્ત્રોત તરીકે કામ કરશે.
હોર્મુઝના કારણે બમણા ભાવે યુરિયા ખરીદવું પડ્યું તો ભારતે શોધી કાઢ્યો રસ્તો!
બીજા તબક્કાનો પ્રચાર સમાપ્ત, 142 બેઠકો પર આવતીકાલે મતદાન.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ૧૪૨ બેઠકો પર ૨૯ એપ્રિલે મતદાન યોજાશે, જેનો પ્રચાર સોમવારે પૂર્ણ થયો છે. સત્તાના જંગ માટે નિર્ણાયક ગણાતા આ તબક્કામાં મમતા બેનર્જીએ દક્ષિણ કોલકાતામાં ૬ કિમી લાંબો ભવ્ય રોડ શો યોજી શક્તિપ્રદર્શન કર્યું હતું. બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષાની ખાતરી આપતા જણાવ્યું કે ગુંડાઓથી ડરવાની જરૂર નથી અને ચૂંટણી બાદ પણ કેન્દ્રીય દળો સાત દિવસ સુધી તહેનાત રહેશે. ચૂંટણી પંચે શાંતિપૂર્ણ મતદાન માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
બીજા તબક્કાનો પ્રચાર સમાપ્ત, 142 બેઠકો પર આવતીકાલે મતદાન.
ઈન્ફોસીસ ટોચની 10 કંપનીમાંથી બહાર માર્કેટ કેપ.માં રૂ.2 લાખ કરોડથી વધુ ધોવાણ
મુંબઈ : ઈન્ફોસીસ પર હવે રોકાણકારોને એટલો મજબૂત વિશ્વાસ રહ્યો નથી, જેટલો એક સમયે હતો. આ વર્ષે, દલાલ સ્ટ્રીટના વિશ્વસનીય ઈન્વેસ્ટમેન્ટ માટેની લોકપ્રિય કંપનીઓની યાદીમાંથી બહાર થઈ ગઈ છે. ઈન્ફોસીસના માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ.૨ લાખ કરોડથી વધુ ઘટાડો સાથે કંપની ભારતની માર્કેટ કેપિટલાઈઝેશનની રીતે ટોચની ૧૦ કંપનીઓમાંથી બહાર થઈ છે.કંપનીના તાજેતરના ચોથા ત્રિમાસિકના પરિણામ બાદ શેરમાં વેચવાલીનો વેગ વધ્યો છે, કંપનીનો શેર શુક્રવારના ૭ ટકા ગબડયો હતો.
ઈન્ફોસીસ ટોચની 10 કંપનીમાંથી બહાર માર્કેટ કેપ.માં રૂ.2 લાખ કરોડથી વધુ ધોવાણ
અગનગોળા વચ્ચે પણ ગિગ વર્કરોએ અવિરત કામ કરતાં રહેવું પડે છે
દેશમાં હાલ 77 લાખ ગિગ વર્કરો કાર્યરત- પ્રસંગપટ- ભયાનક ગરમીથી બચવા માટે ગિગ વર્કરો માટે હીટ ડિસ્ટ્રેસ બટન જેવી વ્યવસ્થા ઊભી કરવી જોઇએ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. બપોરનો સમય કરફ્યૂ સમાન બની ગયો છે. આવી પરિસ્થિતિમાં જેમણે અનિવાર્યપણે બહાર જવું પડે તેવા લોકો જ રસ્તા પર દેખાતા હોય છે.
અગનગોળા વચ્ચે પણ ગિગ વર્કરોએ અવિરત કામ કરતાં રહેવું પડે છે
ભગવંત માનની પંજાબ સરકારે ઘઉંનાં ખેતરો ફરી લહેરાવ્યા.
પંજાબ સહિત ઉત્તરીય ભારતમાં ગુનાખોરી વધી છે, જેને પહોંચી વળવા પાવરફુલ વિજિલન્સ જરૂરી છે. એક સમયે ૨૫૦૦ કરોડના ડ્રગ્સ ઝડપાવા એ મોટી ઘટના હતી, પરંતુ હવે ગુજરાત અને પંજાબમાં ડ્રગ્સ પકડાવું સામાન્ય છે. આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર ડ્રગ્સ વિરોધી પગલાંમાં એકાગ્ર હોવાથી "ઉડતા પંજાબ" હવે ધરતી પર આવી રહ્યું છે.
ભગવંત માનની પંજાબ સરકારે ઘઉંનાં ખેતરો ફરી લહેરાવ્યા.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે સદીઓમાં ભાગ્યે જ જોવા મળે તેવી ટ્રેડ ડીલ- 5,000 વર્ક વિઝા, સ્ટુડન્ટ વિઝા હેઠળ વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ નોકરીનો અધિકાર : ન્યૂઝીલેન્ડની ભારતીયોને ભેટ- બંને દેશ એકબીજાને ત્યાં ૧૦૦ ટકા ડયુટી ફ્રી પ્રોડક્ટ્સની નિકાસ કરી શકશે, આગામી વર્ષથી અમલનવી દિલ્હી : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ ગયો છે. આ કરારના લીધે બંને દેશ એકબીજાને સંપૂર્ણ ૧૦૦ ટકા જકાતમુક્ત નિકાસ કરી શકશે. તેમા કાપડ, ચામડાના જૂતા, હીરા અને ઝવેરાતનો સમાવેશ થાય છે.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ
પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 142 બેઠક પર મતદાન, 4 મેએ પરિણામ
ભાજપ-TMCના આરોપો વચ્ચે બીજા તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત- મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારીની હાઈપ્રોફાઈલ બેઠક પર લડત. કુલ 3.21 કરોડ મતદારો મતદાન કરશે- બંગાળમાં ચૂંટણી પછી 60 દિવસ સુધી કેન્દ્રીય સુરક્ષાદળો તૈનાત રહેશે. પશ્વિમ બંગાળમાં ૧૪૨ વિધાનસભા બેઠકો પર બીજા તબક્કાનું મતદાન થવાનું છે. બીજા તબક્કાના પ્રચારના છેલ્લાં દિવસે રાજકીય ડ્રામા અને ઉત્તેજના જોવા મળ્યાં હતા.
પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 142 બેઠક પર મતદાન, 4 મેએ પરિણામ
બળબળતી ગરમીમાં શેકાતું જનજીવન: બાંદામાં 47.6 ડિગ્રી
દિલ્હીમાં અસહ્ય ગરમી વચ્ચે બે દિવસ વરસાદની આગાહી- અનેક રાજ્યોમાં શાળા-કોલેજોના સમય બદલાયા, બાળકોને ડિહાઈડ્રેશન ન થાય તે માટે ORS, ઠંડું પાણી જેવી વ્યવસ્થા રાખવા તાકીદ. દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમીએ હાહાકાર મચાવી દીધો હતો. ઉત્તર પ્રદેશનું બાંદા ૪૭.૬ ડિગ્રીમાં શેકાયું હતું. બાંદામાં ગરમીનો જૂનો રેકોર્ડ તૂટયો હતો.
બળબળતી ગરમીમાં શેકાતું જનજીવન: બાંદામાં 47.6 ડિગ્રી
ભારતના જહાજ પર ઈરાનના હુમલા પર સરકારનું નિવેદન
અમેરિકા-ઈરાન વચ્ચે હોર્મુઝ જળમાર્ગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે થોડા દિવસ પહેલા ભારતીય જહાજ પર હુમલો થયો હતો, જેને લઈને ભારત સરકારે મહત્ત્વની માહિતી આપી છે. સરકારે કહ્યું કે, ‘ઈરાને ઓમાનના દરિયાકાંઠા પાસે ગુજરાતના મુદ્રા પોર્ટ તરફ આવી રહેલા રાસાયણિક ટેન્કર પર ફાયરિંગ કર્યું હતું.’ આ હુમલા બાદ ભારતીય જહાજની સુરક્ષાને લઈને ચિંતાઓ વધી ગઈ છે. જોકે ભારત સરકાર સંપૂર્ણ સ્થિતિ પર નજર રાખી રહી છે. દેશ પાસે પુરતા પ્રમાણમાં ફર્ટિલાઈઝર અને રસોઈ ગેસની પૂરવઠો હોવાની પણ સરકારે ખાતરી આપી છે.
ભારતના જહાજ પર ઈરાનના હુમલા પર સરકારનું નિવેદન
રાઘવ ચઢ્ઢા બાદ હવે સચિવ 'પાયલટ' પણ ભાજપમાં કરશે 'લેન્ડિંગ'?
આમ આદમી પાર્ટીના 10માંથી સાત સાંસદોએ પક્ષમાં બળવો કરીને ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સચિન પાયલોટ અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ગેહલોતે AAPના બળવાખોર સાંસદોની ઘટના બાદ પાયલોટ પર આડકરું નિશાન સાધ્યું છે. અશોક ગેહલોત પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સભા ગજવીને જયપુર પરત આવ્યા હતા. તેમણે જયપુર એરપોર્ટ પર પહોંચીને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘હવે સચિન પાયલોટના બંને પગ કોંગ્રેસમાં છે. તેઓ સંપૂર્ણ કોંગ્રેસ સાથે છે. મને આશા છે કે, તેઓ હવે કોંગ્રેસને છોડવાનું વિચારશે નહીં.’
રાઘવ ચઢ્ઢા બાદ હવે સચિવ 'પાયલટ' પણ ભાજપમાં કરશે 'લેન્ડિંગ'?
1 મહિનાથી ફસાયેલી વ્હેલને બચાવવા કરોડપતિઓએ લગાવ્યું જોર, વિજ્ઞાનીઓએ કહ્યું- માછલીને મરવા દો એ જ સારું
જર્મનીના બાલ્ટિક સમુદ્રમાં ફસાયેલી ૧૨ ટન વજનની હમ્પબેક વ્હેલ ‘ટિમી’ને બચાવવા ‘ઓપરેશન કુશન’ અમલમાં મુકાયું છે. બે ધનિકોની આર્થિક મદદથી તેને ૪૦૦ કિલોમીટર દૂર ઉત્તર સમુદ્રમાં લઈ જવાની યોજના છે. જોકે, જીવવિજ્ઞાનીઓ વ્હેલની બીમારીને જોતા આ કામગીરીને ક્રૂર ગણાવી રહ્યા છે. આ મુદ્દે રાજકીય તણાવ અને સોશિયલ મીડિયા પર વિરોધ પ્રદર્શનો પણ થયા છે. તાજેતરમાં વ્હેલે સમુદ્ર તરફ યોગ્ય દિશા પકડતા બચાવકર્તાઓમાં આશા જન્મી છે, પરંતુ તેની નાજુક સ્થિતિ હજુ પણ ચિંતાનો વિષય છે.
1 મહિનાથી ફસાયેલી વ્હેલને બચાવવા કરોડપતિઓએ લગાવ્યું જોર, વિજ્ઞાનીઓએ કહ્યું- માછલીને મરવા દો એ જ સારું
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, ભારતીય નિકાસકારોને 100% ડ્યુટી ફ્રી
ભારત-ન્યૂઝીલેન્ડે આજે નવી દિલ્હીમાં ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરીને દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં નવા યુગની શરૂઆત કરી છે. આ ડીલથી બંને દેશોમાં વેપાર, રોકાણ અને રોજગારમાં વધારો થશે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના તેમના સમકક્ષ ટૉડ મૈક્લેની ઉપસ્થિતિમાં આ સમજૂતીને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. હવે ભારતીય કંપનીઓ ટેક્સ વગર ન્યૂઝીલેન્ડમાં સામાન મોકલી શકશે. આ ઉપરાંત આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડૉલરનું રોકાણ આવશે.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, ભારતીય નિકાસકારોને 100% ડ્યુટી ફ્રી
ગરમીનો પ્રચંડ કહેર: કેન્દ્ર સરકારની દેશવ્યાપી એડવાઈઝરી જાહેર
ઉત્તર ભારત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં અત્યારે સૂર્યદેવ આકરા પાણીએ છે. સરેરાશ તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે. વધતી ગરમીને કારણે બીમારીઓનો ખતરો વધતા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જનતા માટે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. આ સાથે જ હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોક વોર્ડ પણ સક્રિય કરી દેવામાં આવ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યારે તાપમાન સતત ઊંચું રહે છે ત્યારે શરીરમાં અનેક સમસ્યાઓ ઉદભવે છે.
ગરમીનો પ્રચંડ કહેર: કેન્દ્ર સરકારની દેશવ્યાપી એડવાઈઝરી જાહેર
વિશ્વનો એકમાત્ર એવો દેશ જ્યાં નથી એક પણ ગામડું, જાણો કેવી રીતે બન્યું 'સિટી સ્ટેટ'
શું તમે જાણો છો કે વિશ્વમાં એક એવો દેશ પણ છે જ્યાં એક પણ ગામડું નથી? આ દેશ છે સિંગાપોર. સિંગાપોર સંપૂર્ણપણે શહેરીકૃત રાષ્ટ્ર છે અને તેની સમગ્ર વસ્તી શહેરોમાં વસે છે. અહીં જમીનનો લગભગ દરેક હિસ્સો વિકસિત હોવાથી તેને 'સિટી સ્ટેટ' તરીકે ઓળખવામાં આવે છે. આજે સિંગાપોરમાં ગામડા જેવો કોઈ વિસ્તાર જોવા મળતો નથી, પરંતુ આ દેશ હંમેશા આવો નહોતો. પહેલા અહીં પણ નાના-નાના ગામડાંઓ હતા. આ વસાહતો મુખ્યત્વે માછીમારો અને વેપારીઓની હતી. 19મી સદીમાં જ્યારે સિંગાપોર બ્રિટિશ શાસન હેઠળ વેપારી કેન્દ્ર બન્યું, ત્યારથી તેનો વિકાસ ઝડપથી શરૂ થયો.
વિશ્વનો એકમાત્ર એવો દેશ જ્યાં નથી એક પણ ગામડું, જાણો કેવી રીતે બન્યું 'સિટી સ્ટેટ'
ભારતના સોલાર સેક્ટરને અમેરિકાનો મોટો ઝટકો: 123 ટકા એન્ટી-ડમ્પિંગ ડ્યુટી ફટકારી
વૈશ્વિક ગ્રીન એનર્જી માર્કેટમાં મહાસત્તા બનવા તરફ આગળ વધી રહેલા ભારતીય સોલર મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે અમેરિકા તરફથી અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો આવ્યો છે. અમેરિકાએ ભારતીય સોલર સેલ અને મોડ્યુલ્સની આયાત પર 123.04 ટકા જેટલી પ્રાથમિક એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણય માત્ર એક ટેક્સ નથી, પરંતુ ભારતીય નિકાસકારો માટે અમેરિકન બજારના દરવાજા લગભગ બંધ કરી દેનારો એક આર્થિક પ્રહાર છે. ફેબ્રુઆરીમાં લાદવામાં આવેલી કાઉન્ટરવેલિંગ ડ્યુટી અને હવેની એન્ટી-ડમ્પિંગ ડ્યુટી મળીને ભારતીય ઉત્પાદનો પર કુલ ટેક્સનો બોજ 234 ટકાથી પણ વધી ગયો છે.
ભારતના સોલાર સેક્ટરને અમેરિકાનો મોટો ઝટકો: 123 ટકા એન્ટી-ડમ્પિંગ ડ્યુટી ફટકારી
‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી રેલીમાં શીશમહેલનો ઉલ્લેખ કરીને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કોલકાતામાં રેલીને સંબોધન કરીને કહ્યું કે, કેજરીવાલે જુદા રાજકારણનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ પોતાની નાની ગાડીમાં આવ્યા અને કરોડો રૂપિયાના શીશમહેલમાં જતા રહ્યા. રાહુલે કેજરીવાલ પર કરોડો રૂપિયાનું ઘર ખરીદ્યું હોવાનો, ભ્રષ્ટાચાર કર્યો હોવાનો, દિલ્હીમાં પ્રદૂષણ વધાર્યું હોવાનો અને દિલ્હીમાં કોંગ્રેસની સરકાર વખતે ઉભુ કરેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખતમ કરી નાખ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર
મુંબઈમાં બિરયાની ખાધા બાદ રાતે તરબૂચ ખાધું, એક જ પરિવારના ચારના મોત, રહસ્ય ઘેરાયું
મુંબઈથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં પાયધુની વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે, સંબંધીઓ સહિત આસપાસના સ્થાનિક લોકો અને પોલીસ આ દુર્ઘટનાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. મહત્વનું છે કે ડોકાડિયા પરિવારે રાત્રે ભોજનમાં બિરયાની ખાધી હતી. તેના થોડા સમય બાદ પરિવારના સભ્યોએ તરબૂચ પણ ખાધું હતું. પરંતુ મોડી રાત્રે અચાનક તમામની તબિયત બગડવા લાગી હતી. હાલત ગંભીર જણાતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ચારેયના કમકમાટીભર્યા મોત થયા હતા.
મુંબઈમાં બિરયાની ખાધા બાદ રાતે તરબૂચ ખાધું, એક જ પરિવારના ચારના મોત, રહસ્ય ઘેરાયું
AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. રાજ્યસભા સચિવાલયે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાઘવ ચઢ્ઢા સહિતના તમામ સાતેય બાગી સાંસદોને ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે માન્યતા આપી દીધી છે. આ સાંસદોના જોડાણ બાદ હવે રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે, આ મોટા ભંગાણને કારણે આમ આદમી પાર્ટીનું કદ ઘટીને માત્ર 3 સાંસદો સુધી મર્યાદિત થઈ ગયું છે. આ અગાઉ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રવિવારે(26 એપ્રિલ, 2026) રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનને પત્ર લખીને આ સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી.
AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી
'રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન', AAP નેતાનું ચોંકાવનારું નિવેદન
AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે જો તેઓ રાજ્યસભા સાંસદ ન હોત તો કોઈ પૂછતું નહીં. ભારદ્વાજે કહ્યું, ‘તમારે પાર્ટી છોડવી હતી, છોડી શકતા હતા, લોકો તમને ગાળો ન આપતા. ગાળો એટલે આપવામાં આવી રહી છે કે તમે તમારી પાર્ટી જેણે તમને બધું આપ્યું, આજે તમારા લગ્ન પણ થઈ શક્યા છે ને, તો એટલા માટે કે તમને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા, નહીંતર કોઈ તમને પૂછતું નહીં. તમને તે પાર્ટીથી કોઈ પણ નારાજગી હોય તમારી, તમે સમગ્ર કાવતરું કર્યું. આખી ટીમને તમે તોડીને લઈ ગયા. ગમે તેટલી દલીલો આપો, લોકો તમને ગાળો સાચી આપી રહ્યા છે.’
'રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન', AAP નેતાનું ચોંકાવનારું નિવેદન
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર, લઘુત્તમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા
દેશના ૪૫ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૦ લાખ પેન્શનરો માટે આઠમા પગાર પંચે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ કરી દીધી છે. પંચની ટીમ વિવિધ રાજ્યોની મુલાકાત લઈ કર્મચારી યુનિયનો સાથે બેઠકો કરી રહી છે. કર્મચારી સંગઠનોએ ફિટમેન્ટ ફેક્ટર વધારીને ૩.૮૩૩ કરવાની અને લઘુત્તમ બેઝિક પે ₹૧૮,૦૦૦થી વધારીને ₹૬૯,૦૦૦ કરવા માટે મજબૂત માંગ કરી છે. આ ઉપરાંત, મોંઘવારી ભથ્થાની ગણતરી માટે નવી પદ્ધતિનું પણ સૂચન કરાયું છે, જેનાથી કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવી શકે છે.
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર, લઘુત્તમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા
ટોક્સિક વાતાવારણને કારણે...: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું 'Gen Z' ડેમેજ કંટ્રોલ
રાજકારણમાં ગ્લેમર અને યુવા પેઢીના પ્રતિનિધિ ગણાતા રાઘવ ચઢ્ઢાએ આખરે આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાવા અંગે પોતાનું મૌન તોડ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એક કેન્ડિડ વીડિયો શેર કરીને તેમણે પક્ષ બદલવા પાછળના કારણો સ્પષ્ટ કર્યા છે. ચઢ્ઢાએ સીધો પ્રહાર કરતા કહ્યું કે, જે પાર્ટીમાં તેઓ જોડાયા હતા તે હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તેમણે વર્તમાન સ્થિતિને ટોક્સિક વર્ક એન્વાયરમેન્ટ ગણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે, હવે પાર્ટીમાં કામ કરતા અટકાવવામાં આવે છે અને સંસદમાં બોલવા પર પણ પાબંધી મૂકવામાં આવે છે.
ટોક્સિક વાતાવારણને કારણે...: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું 'Gen Z' ડેમેજ કંટ્રોલ
ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી 'ગોડઝિલા અલ-નીનો'ની ચેતવણી
ભારત હાલમાં વિશ્વનો સૌથી ગરમ દેશ છે, જ્યાં એપ્રિલ મહિનામાં જ તાપમાન 43 થી 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ચોંકાવનારી વાત એ છે કે, વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાંથી 95 માત્ર ભારતમાં જ છે. ભારતીય હવામાન વિભાગના નકશામાં પણ દેશનો મોટાભાગનો હિસ્સો લાલ રંગમાં જોવા મળી રહ્યો છે. જે ગંભીર હીટવેવની સ્થિતિ દર્શાવે છે. ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને કારણે ગરમીની આ લહેર વધુ લાંબી અને ઘાતક બની રહી છે. વિજ્ઞાનિઓના મોડલ્સ ચેતવણી આપી રહ્યા છે કે, વર્ષ 2026માં સુપર અલ-નીનો અથવા ગોડઝિલા અલ-નીનો ત્રાટકી શકે છે.
ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી 'ગોડઝિલા અલ-નીનો'ની ચેતવણી
અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવા સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પુલ તૈયાર
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પૂરજોશમાં આગળ વધી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં સાબરમતી નદી પર બની રહેલો બુલેટ ટ્રેનનો પુલ એન્જિનિયરિંગ કૌશલ્યનો ઉત્તમ નમૂનો સાબિત થઈ રહ્યો છે. સાબરમતી નદી પર બની રહેલા આ પુલની ઊંચાઈ 36 મીટર (આશરે 118 ફૂટ) છે. જો તેની સરખામણી સામાન્ય રહેણાંક મકાન સાથે કરવામાં આવે તો તે આશરે 12 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવે છે. 480 મીટર લાંબો આ પુલ સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનની વચ્ચે આવેલો છે. પુલ માટે કુલ 8 વર્તુળાકાર પિયર્સ બનાવવામાં આવ્યા છે, જેનો વ્યાસ 6 થી 6.5 મીટર છે.
અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવા સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પુલ તૈયાર
જસ્ટિસ વિરુદ્ધ કેજરીવાલનો 'સત્યાગ્રહ', કોર્ટમાં વકીલ પણ હાજર નહીં થાય
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને એક અત્યંત ભાવુક અને આકરો પત્ર લખ્યો છે. કેજરીવાલે દુઃખી મન સાથે આ પત્રમાં જણાવ્યું છે કે, તેમને હવે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા પાસેથી ન્યાય મળવાની કોઈ આશા રહી નથી. આથી, તેમણે મહાત્મા ગાંધીના માર્ગે ચાલીને 'સત્યાગ્રહ' કરવાનો નિર્ણય લીધો છે. કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતે કે તેમના વકીલ હવેથી જસ્ટિસ શર્માની કોર્ટમાં કોઈ પણ સુનાવણી માટે હાજર થશે નહીં.
જસ્ટિસ વિરુદ્ધ કેજરીવાલનો 'સત્યાગ્રહ', કોર્ટમાં વકીલ પણ હાજર નહીં થાય
શેરબજારની પોઝિટીવ શરૂઆત: સેન્સેક્સમાં ઉછાળો અને રોકાણકારોમાં આશાનું કિરણ.
એશિયન બજારોના સકારાત્મક સંકેતો વચ્ચે, ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી. રોકાણકારોને આશા છે કે US અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થશે. ફાર્માસ્યુટિકલ, IT અને ઓટો શેરોમાં ખરીદીથી બજારને ટેકો મળ્યો. BSE સેન્સેક્સ 76,856 પોઈન્ટ પર ખુલ્યો, જ્યારે NSE નિફ્ટી-50 23,945 પર ખુલ્યો અને 24,000ને પાર કરી ગયો. એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી, જેમાં નિક્કી 225 અને KOSPI નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા.
શેરબજારની પોઝિટીવ શરૂઆત: સેન્સેક્સમાં ઉછાળો અને રોકાણકારોમાં આશાનું કિરણ.
બંગાળમાં PM રેલી પહેલા BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ.
પશ્ચિમ બંગાળમાં PM મોદીની રેલી પહેલા BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ થઈ. પથ્થરમારો, ફાયરિંગ અને બોમ્બ ફેંકાયા, જેમાં CISF જવાન સહિત 3 ઘાયલ થયા. BJPનો આરોપ છે કે રેલીના પોસ્ટરો ફાડવામાં આવ્યા. ભાટપારાના BJP ઉમેદવારના ઘરે બોમ્બ ફેંકાયો. અમિત શાહના રોડ શો અને મમતા બેનર્જીની રેલી પણ યોજાશે. આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે અને બીજું મતદાન 29 એપ્રિલે થશે.