રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો!
રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો!
Published on: 20th May, 2026

ભારતીય રેલવેએ તાજેતરમાં ટ્રેનોમાં લાગેલી આગની ઘટનાઓ પાછળ અસામાજિક તત્વોનો હાથ હોવાનો દાવો કર્યો છે. રાજસ્થાનના અમરપુરા અને કોટા, બિહારના સાસારામ તથા પશ્ચિમ બંગાળના હાવડામાં બનેલી ઘટનાઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. અમરપુરામાં ટ્રેનની ચાદરોમાં ઇરાદાપૂર્વક આગ લગાડવાનો પ્રયાસ થયો હતો, જ્યારે હાવડામાં બાથરૂમમાંથી પેટ્રોલથી ભીંજાયેલું કપડું મળ્યું હતું. કોટાની રાજધાની એક્સપ્રેસમાં બાથરૂમમાંથી આગ નીકળી હતી અને સાસારામમાં ખાલી કોચમાં સળગતી વસ્તુ ફેંકાતા આગ ભભૂકી ઉઠી હતી.