કિરેન રિજિજુનો વિપક્ષ પર ગંભીર આરોપ: 'ચર્ચાથી ભાગી રહ્યો છે વિપક્ષ, હું નિરાશ'
કિરેન રિજિજુનો વિપક્ષ પર ગંભીર આરોપ: 'ચર્ચાથી ભાગી રહ્યો છે વિપક્ષ, હું નિરાશ'
Published on: 12th August, 2026

NEET પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધ મુદ્દે સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે તણાવ યથાવત્ છે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ વિપક્ષ પર ચર્ચાથી ભાગી જવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, સરકાર ચર્ચા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષ ચર્ચા કરવા માંગતું નથી, જે દુર્ભાગ્યપૂર્ણ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા અધ્યક્ષને પત્ર લખીને જણાવ્યું છે કે, સરકાર તમામ પ્રશ્નોના જવાબ આપવા અને વિસ્તૃત ચર્ચા માટે સંપૂર્ણપણે તૈયાર છે. વિપક્ષ વિદ્યાર્થીઓના પ્રદર્શન અને પોલીસની કથિત કડકાઈ અંગે જવાબ માંગી રહ્યું છે.