ભારત-નોર્વે સુવર્ણયુગ: ૧૦૦ અબજ ડોલર રોકાણની જાહેરાત.
સ્વીડનમાં CEOs સાથે મોદીની મીટિંગ, યુદ્ધો ઉકેલવા સંવાદ જરૂરી. નોર્વે ભારતીય કારોબાર, ટેકનોલોજી અને ગ્રીન એનર્જીમાં ૧૦૦ અબજ ડોલર રોકાણ કરશે. ઓસ્લોમાં પીએમ મોદી અને નોર્વેના પીએમ જોનાસ ગહર સ્ટોર વચ્ચે વેપાર, રોકાણ, ગ્રીન ટેકનોલોજી અને ઓરેન્જ ઇકોનોમી પર ચર્ચા થઈ.
ભારત-નોર્વે સુવર્ણયુગ: ૧૦૦ અબજ ડોલર રોકાણની જાહેરાત.
ST બસ રૂટ બદલાતા અમદાવાદ-ભાવનગર, સુરત મુસાફરી સસ્તી અને ઝડપી.
અમદાવાદ-ભાવનગરની તમામ એસટી વોલ્વો બસનો રૂટ બદલી દેવાયો છે. અગાઉ અમદાવાદથી દરરોજ બાવળા, ધોળકા, ધંધુકા થઈને ભાવનગર સુધી વોલ્વોની 12 રાઉન્ડ ટ્રિપનું સંચાલન કરાતું હતું. તેની જગ્યાએ હવે આ તમામ ટ્રિપ ધોલેરા એક્સપ્રેસવે તરફ ડાયવર્ટ કરી દેવાઈ છે. એટલે હવે ભાવનગરની તમામ વોલ્વો બસ ધોલેરા એક્સપ્રેસવે થઈને જશે. જેથી અમદાવાદ-ભાવનગર વચ્ચેનો અંતર ઘટી જતા ભાડામાં પણ 14 રૂપિયાનો ઘટાડો કરાયો છે. 351 રૂપિયાના બદલે હવે મુસાફરોએ 337 રૂપિયા ટિકિટ ભાડું ચૂકવવાનું રહેશે.
ST બસ રૂટ બદલાતા અમદાવાદ-ભાવનગર, સુરત મુસાફરી સસ્તી અને ઝડપી.
ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે.
અમેરિકાના પ્રતિબંધોની છૂટ સમાપ્ત થયા બાદ પણ ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત ચાલુ રાખશે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે આયાત યોજના પર કોઈ અસર નહીં થાય. વૈશ્વિક પુરવઠાને સ્થિર કરવા માટે, યુએસ ટ્રેઝરી વિભાગે સમુદ્રમાં ફસાયેલા રશિયન તેલના જહાજોમાંથી તેલ ખરીદવા માટે 30 દિવસનું અસ્થાયી લાઇસન્સ આપ્યું છે. આનાથી ઊર્જા-સંવેદનશીલ દેશોને રાહત મળશે. ભારતે મે મહિનામાં રેકોર્ડ 23 લાખ બેરલ પ્રતિ દિવસ ક્રૂડ ઓઇલની આયાત કરી.
ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે.
ભારતના આ ગામમાં ક્યારેય નથી ખવાતા ડુંગળી લસણ અને માંસ!
ભારત તેની ભવ્ય અને વિશાળ સાંસ્કૃતિક તેમજ ધાર્મિક વિવિધતા માટે સમગ્ર વિશ્વમાં એક વિશેષ ઓળખ ધરાવે છે. દેશની અસંખ્ય પરંપરાઓમાં કેટલાક એવા અનોખા નગરો છે જે કડક શાકાહારી જીવનશૈલીનું પાલન કરે છે. બિહારના ગયા જિલ્લામાં આવેલું બિહિયાન ગામ ભારત દેશના સૌથી કડક અને સંપૂર્ણપણે શાકાહારી ગામોમાં અગ્રેસર ગણાય છે. અહીંના સ્થાનિક ગ્રામજનો છેલ્લા 300 વર્ષથી પણ વધુ સમયથી ઊંડી ધાર્મિક શ્રદ્ધા અને સામુદાયિક શિસ્તના આધારે આ જીવનશૈલી જીવે છે. લોકો માને છે કે શાકાહારી પ્રથાઓ પાળવાથી તેઓ બ્રહ્મા બાબાના ક્રોધથી બચે છે અને તેમના આશીર્વાદ ગામ પર સદાય રહે છે.
ભારતના આ ગામમાં ક્યારેય નથી ખવાતા ડુંગળી લસણ અને માંસ!
પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર પ્રવાસીઓ સામે કડક કાર્યવાહીનું એલાન.
શુભેન્દુ અધિકારી સરકારે ગેરકાયદેસર પ્રવાસીઓને દેશ બહાર મોકલવાની કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત કરી છે. મતદાર યાદીમાંથી તેમની ઓળખ અને ડિલીશન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. TMC શાસનમાં વસ્તી ગણતરીમાં થયેલા વિલંબ અંગે પણ ઉલ્લેખ કર્યો. વિપક્ષ અને બાંગ્લાદેશના તત્વો પર પ્રહારો કરતા સુરક્ષા પર ભાર મૂક્યો. ભ્રષ્ટાચાર વિરૂદ્ધ પણ કડક પગલાં લેવાશે, ચાર અગ્રણીઓ સામે કાનૂની તપાસના આદેશ. કાયદો અને વ્યવસ્થા જાળવવા પર ભાર.
પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર પ્રવાસીઓ સામે કડક કાર્યવાહીનું એલાન.
દેશભરમાં 7 દિવસીય તીવ્ર ગરમી, હીટવેવ ચાલુ રહેશે.
ઉત્તર અને મધ્ય ભારતના 10 રાજ્યોમાં આ અઠવાડિયે તીવ્ર ગરમી ચાલુ રહેશે. ઘણા વિસ્તારોમાં તાપમાન 45°C થી વધુ પહોંચી ગયું છે. 24 મે સુધી હીટવેવની અસર રહેશે. ઉત્તર પ્રદેશનું બાંદા 47.6°C સાથે સૌથી ગરમ રહ્યું. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ તાપમાન 46°C થી વધુ રહ્યું.
દેશભરમાં 7 દિવસીય તીવ્ર ગરમી, હીટવેવ ચાલુ રહેશે.
ટ્વીશા શર્મા death: CCTV ફૂટેજ આવ્યા.
ભોપાલમાં ટ્વીશા શર્માના રહસ્યમય death કેસમાં નવો વળાંક. CCTV ફૂટેજમાં તે ટેરેસ પર એકલી દેખાય છે. એક કલાક પછી, પતિ, પાડોશી અને નોકર CPR આપતા દેખાય છે. પતિ સમર્થ સિંહ ફરાર, તેના પર રૂ. 10,000નું ઇનામ. સાસુએ દહેજ ઉત્પીડનના આરોપો નકારી, માનસિક બીમારીનો દાવો કર્યો. SIT તપાસ કરી રહી છે.
ટ્વીશા શર્મા death: CCTV ફૂટેજ આવ્યા.
પેટ્રોલ ડીઝલ ભાવ વધારો: મોંઘવારીનો ફરી પ્રહાર.
આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ વધારાને કારણે પેટ્રોલ-ડીઝલના દરોમાં ફરી વધારો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં આ બીજી વૃદ્ધિ છે. 2022ની જેમ ભાવ વધવાની ચિંતા છે. મહાનગરોમાં Petrol ₹98.64 થી ₹109.70 અને Diesel ₹91.58 થી ₹96.11 થયું છે. મધ્ય પૂર્વના તણાવને કારણે તેલ સંકટ ઘેરું બન્યું છે.
પેટ્રોલ ડીઝલ ભાવ વધારો: મોંઘવારીનો ફરી પ્રહાર.
અદાણીની US કાનૂની જીત: $10 બિલિયનના મહારોકાણનો માર્ગ મોકળો.
US જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને ટ્રમ્પ વહીવટીતંત્રે Adani Group સામેના કાનૂની વિવાદો પાછા ખેંચતા, $10 બિલિયનના વિશાળ રોકાણનો માર્ગ મોકળો થયો છે. આનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, લોજિસ્ટિક્સ અને ડેવલપમેન્ટ ક્ષેત્રે વિસ્તરણને નવી દિશા મળશે. U.S. Securities and Exchange Commission સાથે પણ પારદર્શક સમજૂતીની પ્રક્રિયા ચાલી રહી છે.
અદાણીની US કાનૂની જીત: $10 બિલિયનના મહારોકાણનો માર્ગ મોકળો.
અમેરિકા ની મસ્જિદમાં ગોળીબાર, 3 લોકોની હત્યા.
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ડિએગો શહેરમાંથી એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. અહીંના એક સ્થાનિક ઇસ્લામિક સેન્ટર (મસ્જિદ) માં બે હુમલાખોરોએ ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ભયાનક હિંસામાં ત્રણ નિર્દોષ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. ગોળીબાર કર્યા બાદ બંને હુમલાખોરોએ પોતાની જાતને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આશ્ચર્યજનક અને ચિંતાજનક બાબત એ છે કે આ બંને હુમલાખોરો સગીર વયના (કિશોરો) હતા.
અમેરિકા ની મસ્જિદમાં ગોળીબાર, 3 લોકોની હત્યા.
બંગાળની ખાડીમાં ચોમાસાએ પકડી ગતી, IMD એલર્ટ.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું બંગાળની ખાડી, અંડમાન-નિકોબાર અને અરબી સમુદ્રમાં પહોંચ્યું. આગામી 3-4 દિવસમાં ગતિ વધશે, અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા. 50-60 કિમી/કલાક પવન ફૂંકાઈ શકે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ સહિત 8 રાજ્યોમાં એલર્ટ. 26 મે સુધીમાં કેરળમાં સત્તાવાર પ્રવેશની ધારણા.
બંગાળની ખાડીમાં ચોમાસાએ પકડી ગતી, IMD એલર્ટ.
હોર્મુઝ સ્ટ્રેટ પર ઇરાનની નવી નિયંત્રક શક્તિ.
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ કડક કર્યું, હવે પરવાનગી અને કરોડોની ફી વિના જહાજો પસાર નહીં થાય. 'પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી' (PGSA) દ્વારા નવી પરમિટ સિસ્ટમ લાગુ કરાઈ, જેમાં જહાજની વિગતો, વીમો, ક્રૂ, કાર્ગો અને રૂટ શેર કરવા પડશે. ફી યુઆનમાં વસૂલાશે, જે $2 મિલિયન પ્રતિ સફર સુધીની હોઈ શકે છે. આ પગલાંથી વૈશ્વિક વેપારમાં તણાવ વધ્યો છે.
હોર્મુઝ સ્ટ્રેટ પર ઇરાનની નવી નિયંત્રક શક્તિ.
ઋષિકેશ રેલવે સ્ટેશન પાસે ઉજ્જૈન એક્સપ્રેસ ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા.
ઋષિકેશમાં શન્ટિંગ કામગીરી દરમિયાન ઉજ્જૈની એક્સપ્રેસના એન્જિન અને અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા. ખાલી કોચ નિયંત્રણ બહાર જઈ થાંભલા સાથે અથડાયો, પરંતુ સદભાગ્યે કોઈ મુસાફરને ઈજા થઈ નથી. આ ઘટના રેલ્વેની સુરક્ષા પ્રણાલી પર સવાલો ઉભા કરે છે.
ઋષિકેશ રેલવે સ્ટેશન પાસે ઉજ્જૈન એક્સપ્રેસ ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા.
પડતર પ્રશ્ને કાલે ભાવનગર-બોટાદના દવાના વેપારીઓનું બંધનુ એલાન
દેશભરના દવાના વેપારીઓના અસ્તિત્વ અને જન આરોગ્યની સુરક્ષા માટે આગામી તા.૨૦ મે ના રોજ રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન અપાયુ છે. ઓનલાઈન ફાર્મસીની અનિયંત્રીત કામગીરી અને શોષણકારી ભાવની નીતિ સામે રસ્તા પર ભાવનગર અને બોટાદ જિલ્લાના કેમીસ્ટસ રસ્તા પર ઉતરશે. ગેરકાયદેસર ઈ-ફાર્મસી અને ડીપ ડિસ્કાઉન્ટના કારણે ૫ કરોડ આશ્રિતોની રોજીરોટી પર સંકટ છવાઈ જવા પામેલ છે.
પડતર પ્રશ્ને કાલે ભાવનગર-બોટાદના દવાના વેપારીઓનું બંધનુ એલાન
EV રજિસ્ટ્રેશન ઘટયું: સબસિડી બંધ, ચાર્જિંગનો અભાવ મુખ્ય કારણ.
ગુજરાતમાં EV માર્કેટમાં સબસિડી બંધ થતાં અને ચાર્જિંગ સ્ટેશનોના અભાવે રજિસ્ટ્રેશન ઘટ્યું છે. ગ્રાહકો બેટરી બ્લાસ્ટના ડરથી ઇલેક્ટ્રિક વાહનો ખરીદવામાં ખચકાય છે. RTO આંકડા મુજબ ટુ-વ્હીલર અને કારના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જ્યારે અમુક RTOમાં કારના વેચાણમાં વધારો પણ જોવા મળ્યો છે. ડીલરો તાત્કાલિક સરકારી સબસિડીની માંગ કરી રહ્યા છે.
EV રજિસ્ટ્રેશન ઘટયું: સબસિડી બંધ, ચાર્જિંગનો અભાવ મુખ્ય કારણ.
ટ્રમ્પે ઈરાન પર હુમલો રોક્યો, 'ગુપ્ત પત્ર' બન્યો કારણ.
ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં 20મીએ રાજ્યના મેડિકલ સ્ટોર્સમાં પ્રતીકાત્મક બંધ.
દવાના છૂટક વેપારમાં ઓનલાઈન ફાર્મસીના કારણે નાના વેપારીઓને થતા નુકસાન સામે અમદાવાદ કેમિસ્ટ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. વેપારીઓના હિતના રક્ષણ માટે આવતીકાલે બુધવારના રોજ અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત અને દેશભરના તમામ મેડિકલ સ્ટોર્સ એક દિવસ માટે 'પ્રતીકાત્મક બંધ' પાળશે. જોકે, દવા એસોસિએશન દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, બંધ દરમિયાન સામાન્ય જનતાને હાલાકી ન પડે તે માટે સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોના મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખવામાં આવશે.
ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં 20મીએ રાજ્યના મેડિકલ સ્ટોર્સમાં પ્રતીકાત્મક બંધ.
જનતા ખિસ્સા ખાલી કરવા તૈયાર રહે!
આજના સમયમાં સવારે ઉઠતાની સાથે જ જો કોઈ સમાચાર મિડલ ક્લાસ પરિવારનું આખું બજેટ હલાવી નાખતા હોય, તો તે છે ઈંધણના ભાવ. જો તમે વિચારતા હોવ કે ગત શુક્રવારે થયેલો ભાવવધારો છેલ્લો હતો, તો તમે ખોટા છો. સરકારે માત્ર 5 જ દિવસમાં જનતાને બીજો મોટો આંચકો આપતા ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકી દીધો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક બજારની ઉથલપાથલની સીધી અસર હવે સામાન્ય ભારતીયના ખિસ્સા પર દેખાવા લાગી છે.
જનતા ખિસ્સા ખાલી કરવા તૈયાર રહે!
શિપમેન્ટમાં વિક્ષેપથી એપ્રિલમાં ચોખાની નિકાસમાં 6 ટકાનો ઘટાડો.
ભારતની ચોખાની નિકાસ, તેની સૌથી મોટી કૃષિ-ઉત્પાદન શિપમેન્ટ, પશ્ચિમ એશિયા યુદ્ધથી પ્રભાવિત થઈ રહી છે અને એપ્રિલમાં શિપમેન્ટના મૂલ્યમાં ૬% ઘટાડો થયો છે. એપ્રિલ ૨૦૨૬માં, વિશ્વના સૌથી મોટા ચોખા નિકાસકાર ભારતે ૧.૦૧ બિલિયન ડોલર મૂલ્યના ચોખા મોકલ્યા હતા, જે વાર્ષિક ધોરણે ૬% ઘટાડો દર્શાવે છે. મધ્ય પૂર્વમાં સંઘર્ષે ઈરાન અને સાઉદી અરેબિયા સહિતના ખાડી દેશોમાં સુગંધિત લાંબા અનાજવાળા બાસમતી ચોખાની નિકાસમાં વિક્ષેપ પાડયો હતો.
શિપમેન્ટમાં વિક્ષેપથી એપ્રિલમાં ચોખાની નિકાસમાં 6 ટકાનો ઘટાડો.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો, જાણો લેટેસ્ટ રેટ્સ
દેશમાં અમૂલ બાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પાંચ દિવસમાં પેટ્રોલ 90 પૈસા અને ડીઝલ 87 પૈસા મોંઘા થયા છે. ગુજરાતમાં પેટ્રોલ 98 રૂપિયાને પાર અને ડીઝલ 91.58 રૂપિયા થયું છે. ઈંધણ કંપનીઓ આજથી નવા ભાવ લાગુ કરશે, જેનાથી ગ્રાહકો પર આર્થિક બોજ વધશે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો, જાણો લેટેસ્ટ રેટ્સ
બસપા રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે.
એક જમાનામાં ઉત્તર પ્રદેશમાં બસપા લાંબા સમય સુધી સત્તામાં રહી હતી. કાંશીરામ અને માયાવતીએ પક્ષની સ્થાપના કર્યા પછી દલીત અને ઓબીસીના સમર્થનને કારણે બસપા અને માયાવતી છવાઈ ગયા હતા. ધીમે ધીમે માયાવતીની પકડ ઓછી થતી ગઈ. એમની સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો અને ભેગી કરેલી મિલકતને કારણે તેઓ લોકોની નજરમાંથી ઉતરતા ગયા. હમણા બસપા નેશનલ પાર્ટી છે, પરંતુ ગમે ત્યારે આ દરજ્જો ગુમાવી શકે એમ છે. હમણા દેશમાં છ નેશનલ પાર્ટીઓ, ભાજપ, કોંગ્રેસ, બસપા, CPI(M) અને NCP છે.
બસપા રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે.
સક્ષમ પબ્લિક ટ્રાન્સપોર્ટ: ઈંધણ બચાવો, સુવિધા વધારો.
ભારતમાં લોકલ ટ્રાન્સપોર્ટની અછત, કાર પૂલિંગનો અભાવ હોવા છતાં ફ્યુઅલ બચાવવાની વાતો થાય છે. શહેરોમાં મેટ્રો, ટ્રેન, બસો વધી રહી છે, પણ ગામડાઓમાં સુવિધા નથી. શહેરીજનોને પણ પીક અવર્સમાં મેટ્રો-લોકલ ટ્રેનમાં મુશ્કેલી પડે છે, જે 48 ડિગ્રી તાપમાનમાં વધુ કઠિન બને છે.
સક્ષમ પબ્લિક ટ્રાન્સપોર્ટ: ઈંધણ બચાવો, સુવિધા વધારો.
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો.
નાણાં વર્ષ ૨૦૨૬માં ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાત વાર્ષિક ધોરણે ૧૭૦ ટકાથી વધુ વધી ૫૦.૨૦ લાખ ટન રહી હતી. જોકે ભારતને ખાતરના નિકાસકાર તરીકે રશિયાએ પ્રથમ ક્રમ જાળવી રાખ્યો હતો એમ વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા ડેટા પરથી કહી શકાય છે.ગત નાણાં વર્ષમાં રશિયા ખાતેથી ફર્ટિલાઈઝરની આયાત વાર્ષિક ધોરણે ૩૫ ટકા વધી ૬૭.૧૦ લાખ ટન રહી હતી.
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો.
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો.
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ફરી ઉંચકાયા હતા. સરકારે ચાંદીની ઈમ્પોર્ટ પર અંકુશો લાદતાં તેની અસર પણ બજાર પર દેખાઈ હતી. વિશ્વ બજરામાં ભાવ ઘટયા પછી ફરી વધી આવ્યાના સમાચાર હતા. મુંબઈ કરન્સી બજારમાં રૂપિયો તૂટતાં તેની અસર પણ ઝવેરી બજાર પર દેખાઈ હતી. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ વધી રૂ.૨ લાખ ૬૫ હજાર થયા હતા.
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો.
વડોદરાના ચાંદોદ બૅંક ઑફ બરોડાના વહીવટ સામે ગ્રાહકોમાં રોષ.
બેંક ઓફ્ બરોડા (BoB)ની ચાંદોદ શાખામાં આજરોજ બેંકના નિયત કરેલા સમયે કામકાજ શરૂ ન થતાં એટલું જ નહીં બેંક મેનેજર સહિતનો સમગ્ર સ્ટાફ્ પણ ટેબલ પર ન દેખાતા બેંકના ગ્રાહકોએ બેંકની વાસ્તવિકતાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં ફ્રતો કરતા ચાંદોદ પંથકમાં બેંક મેનેજર સહિતના સ્ટાફ્ની ફ્રજનિષ્ઠા અંગે ચર્ચા સાથે રોષ ફેલાયો હતો.
વડોદરાના ચાંદોદ બૅંક ઑફ બરોડાના વહીવટ સામે ગ્રાહકોમાં રોષ.
યુરોપમાં ભારતીય વૈજ્ઞાનિકનું સન્માન!
ડૉ. જયા ભારતી, જેઓ યુનિવર્સિટી ઓફ પોત્સડેમમાં રિસર્ચ સાયન્ટિસ્ટ છે, તેમને ગ્રીન એનર્જી અને ફ્યુચર બેટરી ટેકનોલોજી પરના સંશોધન બદલ જર્મનીમાં બેસ્ટ રિસર્ચ એવોર્ડ મળ્યો છે. તેઓ પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે તેવી એનર્જી સ્ટોરેજ ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે. એક સામાન્ય ગામમાંથી આવીને IIT ગાંધીનગર અને પેરિસ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવી, તેઓ આજે યુરોપમાં ભારતીય વૈજ્ઞાનિક તરીકે આગવું સ્થાન ધરાવે છે.
યુરોપમાં ભારતીય વૈજ્ઞાનિકનું સન્માન!
બોડેલી તાલુકામાં ઈંધણ અછત: ખેડૂતો અને મજૂરોની સ્થિતિ ગંભીર.
છોટાઉદેપુર જિલ્લાના જાંબુઘોડા, બોડેલી, સંખેડા,પાવીજેતપુર અને નસવાડી સહિતના વિસ્તારોમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાઈ છે. અહેવાલ અનુસાર, મિડલ ઇસ્ટ (મધ્ય પૂર્વ)માં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતના ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચી છે, જેના કારણે ઈંધણની તંગી ઉભી થઈ છે. પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ વાહનોની લાંબી લાઈનો જોવા મળે છે. લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે.
બોડેલી તાલુકામાં ઈંધણ અછત: ખેડૂતો અને મજૂરોની સ્થિતિ ગંભીર.
આયાત પરના નિયંત્રણો સોનાની માંગ ઘટાડશે નહીં.
UAEથી વધુ આયાતની શક્યતા છે. સરકારે સોવરિન ગોલ્ડ બોન્ડ દ્વારા આ સમસ્યા હલ કરવાનો પ્રયાસ કર્યો, પણ તે નિષ્ફળ ગયો. મોદીની અપીલ છતાં, સોના પરની આયાત ડ્યુટી ૬% થી ૧૫% વધાર્યા પછી પણ, લોકો સોનું ખરીદવાનું ચાલુ રાખશે. આનાથી દેશના બાહ્ય સંતુલનમાં સુધારો થવાની અપેક્ષા ઓછી છે.