ગભરાશો નહીં, અફવાથી બચો: રાજનાથ સિંહનું એનર્જી સપ્લાય અંગે નિવેદન.
ગભરાશો નહીં, અફવાથી બચો: રાજનાથ સિંહનું એનર્જી સપ્લાય અંગે નિવેદન.
Published on: 11th May, 2026

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ સ્થિતિને પગલે ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સોમવારે નવી દિલ્હીમાં રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આંતર-મંત્રાલય જૂથ (IGoM)ની 5મી મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ઉર્જા સપ્લાય ચેઈન સામેના જોખમો અને દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતાની સમીક્ષા કરવાનો હતો. બેઠક દરમિયાન તેમણે દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે, "હું લોકોને શાંત રહેવા અને કોઈપણ પ્રકારનો ગભરાટ ટાળવા વિનંતી કરું છું. સરકાર સપ્લાય ચેઈનમાં આવતી રુકાવટોને રોકવા અને જીવનજરૂરી વસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પગલાં ભરી રહી છે."