'રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર' માટે ગુજરાતની એક પણ ગ્રામ પંચાયત કેન્દ્રની નજરમાં લાયક ન ઠરી.
'રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર' માટે ગુજરાતની એક પણ ગ્રામ પંચાયત કેન્દ્રની નજરમાં લાયક ન ઠરી.
Published on: 25th May, 2026

કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ‘રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર- 2025’ માટે દેશની 42 ગ્રામ પંચાયતોની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાંથી એક પણ પંચાયતનો સમાવેશ થયો નથી. પર્યાવરણ, સ્વચ્છતા, આરોગ્ય અને સુશાસન જેવા માપદંડો પર આધારિત આ પુરસ્કાર માટે ગુજરાતની ગ્રામ પંચાયતો યોગ્ય ન ઠરતાં રાજ્યના વિકાસ મોડેલ પર પ્રશ્નાર્થ સર્જાયો છે. પસંદ થયેલી પંચાયતોને રોકડ પુરસ્કાર પણ મળશે, પરંતુ ગુજરાતની એકેય પંચાયત આ સન્માન મેળવી શકી નથી.