દિગ્ગજ ભાજપ નેતા ઉમા ભારતીની તબિયત લથડી, મુઝફ્ફરનગર પાસે રોકાયો કાફલો
દિગ્ગજ ભાજપ નેતા ઉમા ભારતીની તબિયત લથડી, મુઝફ્ફરનગર પાસે રોકાયો કાફલો
Published on: 17th June, 2026

ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીની તબિયત હરિદ્વારથી દિલ્હી જતી વખતે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં અચાનક લથડી હતી. તબિયત બગડવાને કારણે તેમના કાફલાને રસ્તામાં જ અટકાવવો પડ્યો હતો. 67 વર્ષીય ઉમા ભારતીએ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓની ફરિયાદ કરી હતી, જેના પગલે સિંઘાવલી ગામ પાસે આવેલા એક પેટ્રોલ પંપ પર તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી. મેડિકલ ટીમે તેમના વધેલા બ્લડ પ્રેશર અને પગમાં સોજાની તપાસ કરી, દવાઓ આપ્યા બાદ સ્થિતિ સુધરતા તેઓ દિલ્હી જવા રવાના થયા.