મસ્જિદોના લાઉડસ્પીકર મુદ્દે યુસુફ પઠાણ સહિત TMC સાંસદોએ અમિત શાહને કરી રજૂઆત
મસ્જિદોના લાઉડસ્પીકર મુદ્દે યુસુફ પઠાણ સહિત TMC સાંસદોએ અમિત શાહને કરી રજૂઆત
Published on: 07th August, 2026

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં મસ્જિદો પરથી લાઉડસ્પીકર ઉતારવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. TMC છોડી NCPI માં જોડાયેલા બહેરામપુરના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ, મુર્શિદાબાદના સાંસદ અબુ તાહેર ખાન અને જંગીપુરના સાંસદ ખલીલુર રહેમાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. તેમણે ગૃહ મંત્રાલયને સુપરત કરેલા આવેદનપત્રમાં પોલીસ કાર્યવાહી રોકવાની માંગ કરી છે. સાંસદોએ ધ્વનિ પ્રદૂષણના નિયમોના પાલન સાથે ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે તેની કાળજી લેવા ભારપૂર્વક જણાવ્યું છે. આ ઉપરાંત, તેમણે મતદાર યાદીમાંથી નામ દૂર કરવાના મુદ્દે પણ વિલંબની ફરિયાદ કરી છે.