વડોદરાના પાદરા વિહીપ દ્વારા બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવી અપાયો આરોગ્યનો લાભ
વડોદરાના પાદરા વિહીપ દ્વારા બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવી અપાયો આરોગ્યનો લાભ
Published on: 16th July, 2026

વિશ્વ હિન્દુ પરિષદ પાદરા પ્રખંડના સેવા વિભાગ દ્વારા દર પુષ્ય નક્ષત્રના દિવસે ઝંડા બજાર ખાતે વાઘેશ્વરી માતાજીના મંદિરે 6 મહિનાથી 12 વર્ષ સુધીના બાળકો માટે મફત સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ આયુર્વેદિક પદ્ધતિ બાળકોના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસમાં ઉપયોગી છે. આ સેવા કાર્યમાં વિશ્વ હિન્દુ પરિષદના સેવા વિભાગ સાથે માતૃશક્તિ પ્રમુખ સહિત અનેક બહેનોએ સેવાઓ આપી હતી.