જૂની દુઃખદ યાદો ભૂંસી શકાય?
જૂની દુઃખદ યાદો ભૂંસી શકાય?
Published on: 10th June, 2026

મનુષ્યો પોતાની દુઃખદ યાદોને ભૂંસી શકતા નથી, પરંતુ બોસ્ટન યુનિવર્સિટીના ન્યૂરોસાયન્ટિસ્ટ પ્રોફેસર સ્ટીવ રામીરેજ આ દિશામાં રિસર્ચ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો મુજબ, યાદો મગજમાં મેમરી ટ્રેસ તરીકે સંગ્રહિત થાય છે અને તેને 'રિકન્સોલિડેશન' પ્રક્રિયા દ્વારા બદલી શકાય છે. ઉંદરો પરના પ્રયોગોમાં ભય સાથે સંકળાયેલી યાદોને દૂર કરવામાં સફળતા મળી છે, અને હવે આ પ્રયોગો મનુષ્યો પર કરવાની શક્યતાઓ ચકાસાઈ રહી છે.