Menu
Himatnagar: સિવિલ હોસ્પિટલમાં વ્હીલચેરની અછતથી દર્દીઓને મુશ્કેલી
Himatnagar: સિવિલ હોસ્પિટલમાં વ્હીલચેરની અછતથી દર્દીઓને મુશ્કેલી
Published on: 12th May, 2025

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વ્હીલચેરની કમી હોવાથી ઇજાગ્રસ્ત દર્દીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત તંત્રની રજૂઆત કર્યા છતાં તંત્ર કોઈ પગલું ભરતું નથી અને ફક્ત કાગળોમાં જ સુવિધાઓ હોવાનું જણાય છે. ઘાયલ દર્દીઓને તેમના પરિવારજનો પગ ખેંચીને ચાલવા મજબૂર બન્યા છે, જ્યારે હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત દર્દી પોતે ચાલતા જોવા મળ્યા છે. આ નિષ્ક્રિયતાના કારણે લોકોમાં ભારે રોષ વધ્યો છે અને દર્દીઓ સાધનસામગ્રીની કમીને લઈને ગંભીર મુશ્કેલીમાં છે.