મુઝફ્ફરપુર હોસ્પિટલ આગ: 95 વર્ષીય દાદીએ પોતાનો ઓક્સિજન માસ્ક હટાવી અનેક દર્દીઓના જીવ બચાવ્યા
મુઝફ્ફરપુર હોસ્પિટલ આગ: 95 વર્ષીય દાદીએ પોતાનો ઓક્સિજન માસ્ક હટાવી અનેક દર્દીઓના જીવ બચાવ્યા
Published on: 04th June, 2026

Muzaffarpur Hospital માં લાગેલી આગ બાદ ICU બેડ અને સાધનો બળીને ખાખ થયા હતા. જો 95 વર્ષીય મહિલા, રાધા દેવી, સમયસર જાણ ન કરી હોત તો વધુ દર્દીઓના મોત થઈ શક્યા હોત. તેઓ પણ ICUમાં દાખલ હતા. ધુમાડો ફેલાતા જ તેમણે પોતાનો ઓક્સિજન માસ્ક હટાવી નર્સને આગ વિશે જાણ કરી. તેમના કારણે અનેક જીવ બચી ગયા. રાધા દેવી, જેમને હાઈ બ્લડ પ્રેશર અને શ્વાસ લેવામાં તકલીફ હતી, તેમને કારણે નર્સ અંદર ગઈ અને આગ પર કાબુ મેળવવામાં મદદ મળી.