ત્વચાના રોગોમાં વધારો: કારણો અને ઉપચાર પદ્ધતિઓ
ત્વચાના રોગોમાં વધારો: કારણો અને ઉપચાર પદ્ધતિઓ
Published on: 22nd July, 2026

આધુનિક જીવનશૈલી, અનિયમિત આહાર, સૌંદર્ય પ્રસાધનોનો વધુ પડતો ઉપયોગ, કેમિકલ, સિન્થેટિક વસ્ત્રો, ઔષધીઓની આડઅસર, અને માનસિક તણાવ જેવા અનેક કારણોસર ત્વચાના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્વચાના રોગોમાં ખંજવાળ, બળતરા, પરુ, સોજો, તેમજ રંગમાં પરિવર્તન જોવા મળે છે. ખસ, ખરજવું, દાદર, ખીલ, સોરાયસીસ, કોઢ, કાળો કોઢ, તલ, મસા વગેરે સામાન્ય રોગો છે. નિદાન બાદ દોષ અને રોગની ગંભીરતા પ્રમાણે યોગ્ય ઉપચાર પદ્ધતિ, જેમ કે ગંધક રસાયન, આરોગ્યવર્ધિની, મહામંજીષ્ઠાદિ કવાથ, અને ખદિરારિષ્ટ જેવી આયુર્વેદિક દવાઓ, તેમજ કબજિયાત માટે હરડે, ત્રિફળા જેવી દવાઓ ઉપયોગી થઇ શકે છે.