રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ: વધુ એક બાળકે જીવ ગુમાવ્યો
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ: વધુ એક બાળકે જીવ ગુમાવ્યો
Published on: 13th July, 2026

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર ચાલુ છે, જેમાં પંચમહાલ જિલ્લામાં એક વર્ષ અને ચાર વર્ષના બે બાળકોના મોત થયા છે. એક બાળકને ગોધરા સિવિલમાંથી અમદાવાદ લઈ જતી વખતે રસ્તામાં મૃત્યુ થયું. બીજા બાળકને વડોદરા SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, પરંતુ સારવાર શરૂ થાય તે પહેલાં જ તેનું મૃત્યુ થયું. આ જીવલેણ વાયરસના કારણે આરોગ્ય વિભાગમાં ચિંતાનો માહોલ છે. હાલમાં કોઈ ચોક્કસ દવા કે રસી ઉપલબ્ધ ન હોવાથી સાવચેતી અને સમયસર સારવાર જ મુખ્ય ઉપાય છે.