વડોદરા કારેલીબાગમાં ભૂવો પૂર્યો, દોઢ મહિને રસ્તો કાર્પેટિંગ વિના જ ખોલ્યો
વડોદરા કારેલીબાગમાં ભૂવો પૂર્યો, દોઢ મહિને રસ્તો કાર્પેટિંગ વિના જ ખોલ્યો
Published on: 22nd June, 2026

કારેલીબાગ આર્યકન્યા વિદ્યાલય પાસે 50 વર્ષ જૂની પાણીની લાઇન અને ડ્રેનેજને નુકસાન થતાં મોટો ભૂવો પડ્યો હતો. પાલિકાએ દોઢ મહિના સુધી કામગીરી કરી, પરંતુ કામ પૂરું થયા બાદ રોડ કાર્પેટિંગ વિના જ ખોલતાં વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. પાણી પુરવઠા વિભાગ અને વોર્ડ 7ના એન્જિનિયરિંગ વિભાગે એકબીજાને જવાબદારી સોંપતાં કામગીરીમાં વિલંબ થયો હતો. જૂની સિમેન્ટ-કોંક્રિટની પાણીની લાઇન ચોમાસા પછી બદલવામાં આવશે.