મહેશ નવમી નિમિત્તે સુરત શહેર અને જિલ્લામાં 7 સ્થળોએથી નીકળશે શોભાયાત્રા
મહેશ નવમી નિમિત્તે સુરત શહેર અને જિલ્લામાં મહેશ્વરી સમાજના 9300 પરિવારના 35000 થી વધુ લોકો ભવ્ય ઉજવણી કરશે. ઘોડદોડ રોડ, પુણા, પરવટ પાટિયા, ડુંભાલ સહિત કુલ સાત સ્થળોએથી શોભાયાત્રા નીકળશે. ઘોડદોડ રોડની શોભાયાત્રા મહેશ્વરી ભવન ખાતે પૂર્ણ થશે જ્યાં 251 પૂજન થશે, જ્યારે પર્વત પાટિયા વિસ્તારની શોભાયાત્રા મહેશ્વરી સેવા સદન ખાતે પહોંચશે જ્યાં 251 શિવલિંગની પૂજા થશે. કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સમૂહ ભોજન અને વિશેષ સન્માન સમારોહ પણ યોજાશે.
મહેશ નવમી નિમિત્તે સુરત શહેર અને જિલ્લામાં 7 સ્થળોએથી નીકળશે શોભાયાત્રા
અમદાવાદના નવરંગપુરા મેટ્રો બ્રિજ નીચે કારમાં યુવકનો શંકાસ્પદ મૃતદેહ
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલી કારમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે. બંધ ગાડીમાં મૃત્યુ કયા કારણોસર થયું તે રહસ્યમય લાગી રહ્યું છે. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે ટોળાં ઉમટ્યા હતા. પોલીસ તપાસમાં મૃતદેહ પર કોઈ બાહ્ય ઈજાના નિશાન મળ્યા નથી. આ ઘટના હત્યા, આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર બની છે તે જાણવા FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની મદદ લેવાઈ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. કારમાંથી દારૂની બોટલ મળી આવી છે, પરંતુ મૃતકના શરીર પર ઈજાના નિશાન ન હોવાથી મોતનું કારણ અકબંધ છે.
અમદાવાદના નવરંગપુરા મેટ્રો બ્રિજ નીચે કારમાં યુવકનો શંકાસ્પદ મૃતદેહ
ભારત તરફ આવી રહેલા 11 જહાજે હોર્મુઝ પાર કર્યું.
મધ્ય પૂર્વના મહત્વના હોર્મુઝ જળમાર્ગમાં અવરજવર ફરી શરૂ થતાં ભારત માટે રાહતના સમાચાર છે. તાજેતરમાં સર્જાયેલા તણાવ છતાં, ૧૧ ભારતીય જહાજો આ માર્ગ સુરક્ષિત રીતે પાર કરી ચૂક્યા છે, જ્યારે ૧૦ જહાજો હજુ પ્રક્રિયામાં છે. ભારત માટે આ રૂટ અત્યંત મહત્વનો છે, કારણ કે દેશની ૮૦-૮૫% તેલની આયાત અને ખરીફ સીઝન માટે જરૂરી ખાતરનો પુરવઠો અહીંથી જ આવે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ક્રૂડ ઓઈલ અને યુરિયા-DAP ભરેલા જહાજો આગામી દિવસોમાં ગુજરાતના વડિનાર, મુંદ્રા અને સિક્કા સહિત અન્ય બંદરો પર પહોંચશે, જેનાથી દેશની ઉર્જા અને ખાદ્ય સુરક્ષા જળવાઈ રહેશે.
ભારત તરફ આવી રહેલા 11 જહાજે હોર્મુઝ પાર કર્યું.
જૂન 26, 2026: કેન્દ્ર યોગથી 4 રાશિઓ માટે શરૂ થશે મુશ્કેલ સમય
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 26 જૂન 2026ના રોજ સૂર્ય અને નેપ્ચ્યુન વચ્ચે 'કેન્દ્ર યોગ' બનશે, જે અત્યંત પડકારજનક માનવામાં આવે છે. આ યોગ ભ્રમ, માનસિક તણાવ અને મૂંઝવણ ઊભી કરી શકે છે. આ યોગ મેષ, મિથુન, કન્યા અને ધનુ રાશિના જાતકો માટે મુશ્કેલીઓ લાવી શકે છે. મેષ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં મતભેદ અને પિતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. મિથુન રાશિના જાતકોને કરિયર અને ભવિષ્ય અંગે મૂંઝવણ અનુભવાશે. કન્યા રાશિના જાતકો માટે વ્યવસાય અને પારિવારિક મોરચે ચિંતા વધશે. ધનુ રાશિના જાતકોના ઘરેલુ સુખ-શાંતિમાં ઘટાડો થઈ શકે છે. આ અશુભ પ્રભાવથી બચવા માટે સૂર્ય ઉપાસના, ધ્યાન અને નાણાકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી જરૂરી છે.
જૂન 26, 2026: કેન્દ્ર યોગથી 4 રાશિઓ માટે શરૂ થશે મુશ્કેલ સમય
ચૈતર વસાવાને કાવતરાથી સજા: કેજરીવાલનો ભાજપ પર આરોપ
આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 આરોપીઓને નર્મદા જિલ્લામાં વન વિભાગની જમીન સંબંધિત જૂના કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ચુકાદા બાદ AAP નેતાઓ અને કોંગ્રેસે ભાજપ સરકાર પર કાવતરાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આને 'ED પાર્ટી'નું ષડયંત્ર ગણાવી કહ્યું કે આદિવાસી સમાજ અને ગુજરાતના લોકો ભાજપને જવાબ આપશે. AAP હાઈકોર્ટમાં અપીલ કરશે.
ચૈતર વસાવાને કાવતરાથી સજા: કેજરીવાલનો ભાજપ પર આરોપ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક સીનિયર કલાર્કની 250 જગ્યા પર ભરતી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વહીવટી કેડરમાં 'સહાયક સીનિયર કલાર્ક' ની કુલ ૨૫૦ ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયક ઉમેદવારો આગામી ૭ જુલાઈ, ૨૦૨૬ સુધી સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે. ઉમેદવાર કોઈપણ શાખામાં ૫૦% ગુણ સાથે સ્નાતક હોવાની સાથે વહીવટી કેડરનો ૩ વર્ષનો અનુભવ અને કોમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. વયમર્યાદા ૧૮ થી ૩૮ વર્ષની રહેશે. પસંદગી પામનારને પ્રથમ ૩ વર્ષ માટે ₹૨૬,૦૦૦ ફિક્સ માસિક પગાર મળશે અને સામાન્ય વર્ગ માટે અરજી ફી ₹૫૦૦ તેમજ અનામત વર્ગ માટે ₹૨૫૦ નક્કી કરાઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક સીનિયર કલાર્કની 250 જગ્યા પર ભરતી
અમદાવાદમાં દહેજ ભૂખ્યા પતિએ માંગ્યા 1 કરોડ રોકડા અને 3 લાખ પગાર
અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક 29 વર્ષીય પરિણીતાએ પતિ અને સાસરિયાંઓ વિરુદ્ધ દહેજની મોટી માંગણી અને શારીરિક-માનસિક ત્રાસની પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્નના થોડા મહિનાઓમાં જ ઝઘડા શરૂ થયા બાદ, સાસરિયાંઓએ પરિણીતાના પિતા પાસે 1 કરોડ રૂપિયા રોકડા અથવા નવું મકાન અને પતિને દર મહિને 3 લાખ રૂપિયાનો પગાર માંગ્યો હતો. આ ઉપરાંત, પરિણીતાના 105 તોલા સોનાના દાગીના પરત આપવાનો ઇનકાર કરીને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી, જેના પગલે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
અમદાવાદમાં દહેજ ભૂખ્યા પતિએ માંગ્યા 1 કરોડ રોકડા અને 3 લાખ પગાર
અમદાવાદમાં વેપારીએ કંપનીનો 'કલર' કરી નાખ્યો!
અમદાવાદના નારોલ વિસ્તારમાં કાપડના કલરનો વ્યવસાય કરતી ‘શ્રીજી કલર કેમ’ કંપની સાથે ₹૬૮.૦૮ લાખની છેતરપિંડીની ઘટના સામે આવી છે. ‘જલારામ ડાયસ્ટફ’ નામે ધંધો કરતા પરિચિત વેપારી જયમીન પ્રવીણભાઈ ઠક્કરે એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ દરમિયાન ₹૭૫.૮૩ લાખનો માલ ઉધાર ખરીદ્યો હતો, જેમાંથી ₹૫૪.૦૮ લાખ ચૂકવ્યા નહોતા. આ ઉપરાંત, ધંધામાં સારા વળતરની લાલચ આપી રોકાણના બહાને પોતાના અને પત્નીના ખાતામાં ₹૨૦ લાખ પડાવી તેમાંથી ₹૧૪ લાખ ઓળવી ગયા હતા. બાકી નીકળતી કુલ રકમ પરત ન આપતા કંપનીના મેનેજર ગોપાલભાઈ ભરવાડે આરોપી જયમીન ઠક્કર અને તેમની પત્ની વિરૂદ્ધ નારોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદમાં વેપારીએ કંપનીનો 'કલર' કરી નાખ્યો!
મુંબઈમાં ચોમાસાનું આગમન, ગુજરાતમાં ક્યારે થશે પધરામણી?
દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે ત્યારે ગુજરાત માટે રાહતના સમાચાર છે. આગામી 2-3 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. મુંબઈમાં 12 દિવસના વિલંબ બાદ ચોમાસાનું આગમન થયું અને ધોધમાર વરસાદ શરૂ થયો. તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધ્યું છે. મુંબઈ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. દેશમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 43% ઓછો વરસાદ પડ્યો છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં આગામી 2-3 દિવસમાં ચોમાસું પહોંચશે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 3-4 દિવસ પછી અને દિલ્હી, હરિયાણા, પંજાબમાં જુલાઈ સુધી રાહ જોવી પડશે.
મુંબઈમાં ચોમાસાનું આગમન, ગુજરાતમાં ક્યારે થશે પધરામણી?
અમદાવાદમાં ડુપ્લિકેટ બ્લડ પ્લાઝમા રેકેટનો પર્દાફાશ!
અમદાવાદ ગ્રામ્ય SOGએ ચાંગોદર વિસ્તારમાં મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે, જ્યાં ફાર્મા કંપનીઓમાં સપ્લાય થતા અસલી બ્લડ પ્લાઝમાની ચોરી કરીને તેની જગ્યાએ ભેળસેળયુક્ત નકલી પ્લાઝમા સપ્લાય કરનાર ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓની લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ છેલ્લા છ મહિનાથી આ કૌભાંડ ચલાવી રહી હતી. મુખ્ય આરોપી દિનેશ ચૌધરી, જે અગાઉ ફાર્મા કંપનીમાં કામ કરતો હતો, તેણે ડ્રાઈવરો સાથે મળી અસલી પ્લાઝમા ચોરીને તેની જગ્યાએ સલાઈન વોટરવાળા નકલી પ્લાઝમા ગોઠવી દેતો હતો. આ ચોરાયેલા અસલી પ્લાઝમાને બ્લડ બેન્કોમાં અડધી કિંમતે વેચી દેવામાં આવતો હતો.
અમદાવાદમાં ડુપ્લિકેટ બ્લડ પ્લાઝમા રેકેટનો પર્દાફાશ!
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરથી ૨૪મા ‘શાળા પ્રવેશોત્સવ’નો પ્રારંભ કરાવ્યો
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી ૨૪મા ‘શાળા પ્રવેશોત્સવ’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. આ અભિયાન હેઠળ ૩૯૦ બાળકોનું નામાંકન થયું. મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીના જીવનનું ઉદાહરણ આપી શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, આ અભિયાનથી ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે અને નામાંકન દર વધ્યો છે. ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી યોજનાઓ દીકરીઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે. કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન થયું અને વૃક્ષારોપણ કરાયું.
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરથી ૨૪મા ‘શાળા પ્રવેશોત્સવ’નો પ્રારંભ કરાવ્યો
કચ્છથી મુંબઈ-ગોવા હવે મિનિટોમાં!
કચ્છના અદાણી મુન્દ્રા એરપોર્ટે સ્ટાર એર સાથે ભાગીદારીમાં મુંબઈ અને ગોવા માટે પ્રથમ ફ્લાઈટ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સાથે મુન્દ્રા હવે હિંડન, સુરત, બેલગાવી, બેંગલુરુ, કોલ્હાપુર અને નાંદેડ સહિત કુલ 8 શહેરો સાથે સીધી હવાઈ કનેક્ટિવિટી મેળવશે. 1,900 મીટર લાંબા રનવે અને આધુનિક સુવિધાઓથી સજ્જ એરપોર્ટ મુસાફરી, વેપાર, લોજિસ્ટિક્સ અને પર્યટનને પ્રોત્સાહન આપશે. આ નવી સેવા મુન્દ્રા પોર્ટ અને SEZના આર્થિક વિકાસને વધુ ગતિ આપશે તેમજ સમગ્ર કચ્છ પ્રદેશ માટે હવાઈ પરિવહનની નવી તકો ઊભી કરશે.
કચ્છથી મુંબઈ-ગોવા હવે મિનિટોમાં!
25 જૂન 2026: વર્ષની સૌથી મોટી નિર્જલા એકાદશી
હિન્દુ ધર્મમાં જેઠ સુદ એકાદશી, એટલે કે 'નિર્જલા એકાદશી'નું વ્રત સર્વોચ્ચ પુણ્યદાયી ગણાય છે. આ વર્ષે 25 જૂન 2026, ગુરુવારના રોજ આ વ્રત રાખવામાં આવશે. આ વર્ષની સૌથી મોટી એકાદશી હોવાથી, તેના નિયમો અને પૂજાની તૈયારીઓ એક દિવસ પહેલાં, એટલે કે દશમની તિથિથી જ શરૂ થાય છે. માત્ર આ એક વ્રત પૂર્ણ શ્રદ્ધાથી રાખવાથી, આખા વર્ષની તમામ એકાદશીઓનું સંયુક્ત પુણ્યફળ પ્રાપ્ત થાય છે. 25 જૂનના આ કઠોર વ્રતની સફળતા માટે, 24 જૂન (દશમ) થી જ વિશેષ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
25 જૂન 2026: વર્ષની સૌથી મોટી નિર્જલા એકાદશી
ગાંધીનગરના માણસાના 28 વર્ષીય યુવા પોલીસકર્મીનો ગળેફાંસો ખાઈ આપઘાત
ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 28 વર્ષીય LRD જવાન પર્વ ગોસ્વામીએ પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ છે. પ્રાથમિક તપાસમાં પારિવારિક વિખવાદ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2026માં ગાંધીનગરમાં પોલીસ કર્મચારીના આપઘાતની આ બીજી ઘટના છે. સતત વધતા કાર્યભાર, માનસિક તણાવ, લાંબી ફરજ અને પરિવારથી દૂર રહેવાની પરિસ્થિતિને કારણે પોલીસ કર્મચારીઓ પર દબાણ વધી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ વિભાગમાં માનસિક સ્વાસ્થ્ય સહાય અને કાઉન્સેલિંગ વ્યવસ્થા ઉભી કરવાની માંગ ઉઠી છે.
ગાંધીનગરના માણસાના 28 વર્ષીય યુવા પોલીસકર્મીનો ગળેફાંસો ખાઈ આપઘાત
AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને પત્ની સહિત 9 લોકો જમીન વિવાદ કેસમાં દોષિત જાહેર
નર્મદાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વર્ષો જૂના કેસમાં રાજપીપળા સેસન્સ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કરાયા છે. આ કેસ 2023માં જંગલ ખાતાની જમીનના વિવાદમાં ફોરેસ્ટ ઓફિસર પર થયેલા હુમલા સાથે સંકળાયેલો છે. કોર્ટ હવે સજાની જાહેરાત કરશે, જેમાં મહત્તમ 10 વર્ષ સુધીની કેદની જોગવાઈ છે. સજાના પ્રમાણ અંગે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ પોતાનો વિગતવાર આદેશ જાહેર કરશે.
AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને પત્ની સહિત 9 લોકો જમીન વિવાદ કેસમાં દોષિત જાહેર
અમદાવાદની રથયાત્રા માટે ભગવાન જગન્નાથ માટે વૃંદાવનથી ખાસ વાઘા તૈયાર
અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જે 16મી જુલાઈએ યોજાશે. ભગવાનના ત્રણેય રથનું સમારકામ અને રંગરોગાન કાર્ય પૂર્ણતાના આરે છે. આ વખતે ભગવાન જગન્નાથ માટે ખાસ વૃંદાવનથી કાપડ મંગાવીને સાત જોડી વિશેષ વાઘા તૈયાર કરવામાં આવી રહ્યા છે. રથયાત્રામાં 16 થી 18 ગજરાજ, 108 ટ્રકો અને ભજન મંડળીઓ પરંપરા મુજબ જોડાશે. સુરક્ષા વ્યવસ્થા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને ટેકનિકલ ખામી સામે રથના સ્પેર વ્હીલ પણ તૈયાર રખાયા છે.
અમદાવાદની રથયાત્રા માટે ભગવાન જગન્નાથ માટે વૃંદાવનથી ખાસ વાઘા તૈયાર
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ બે કેસ પરત ખેંચાયા
પાટીદાર અનામત આંદોલન દરમિયાન ૨૦૧૮માં સુરતના વરાછા પોલીસ મથકે નોંધાયેલા બે કેસ પરત ખેંચવાની મંજૂરી કોર્ટે આપી દીધી છે. લાજપોર જેલમાંથી મુક્ત થયેલા કાર્યકરોના સ્વાગત રેલી દરમિયાન ટ્રાફિક જામ અને જાહેર માર્ગ પર અવરોધ ઊભો કરવા બદલ હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા સહિત ૧૫૦ થી ૨૦૦ કાર્યકરો સામે ગુનો નોંધાયો હતો. સુરતના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જીતેન્દ્રસિંહે સરકારની કેસ પરત ખેંચવાની અરજી ગ્રાહ્ય રાખી તમામ આરોપીઓને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો છે. કોર્ટે નોંધ્યું કે આરોપીઓનો કોઈ ગુનાહિત ઈરાદો નહોતો અને આ કેસ ચલાવવો જાહેર હિતમાં નથી.
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ બે કેસ પરત ખેંચાયા
પૈસા ટકાવવા અને સુખી પરિવાર માટે વાસ્તુના 4 સરળ ઉપાય
સખત મહેનત કરવા છતાં ઘરમાં પૈસા ન ટકવા પાછળ ઘરનો વાસ્તુ દોષ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર આસપાસની ઉર્જાને સકારાત્મક રીતે નિયંત્રિત કરવાનો માર્ગ છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ધનની આવક વધારવા માટે વાસ્તુશાસ્ત્રના 4 પ્રભાવશાળી બદલાવ તમારી કિસ્મત ચમકાવી શકે છે. જેમાં ઉત્તર દિશાને ધનનું પ્રવેશદ્વાર બનાવવી, તિજોરીને યોગ્ય દિશામાં રાખવી, પાણીના નિકાસ પર નિયંત્રણ રાખવું અને મુખ્ય દ્વારને પોઝિટિવ એનર્જીનું કેન્દ્ર બનાવવાનો સમાવેશ થાય છે.
પૈસા ટકાવવા અને સુખી પરિવાર માટે વાસ્તુના 4 સરળ ઉપાય
જામનગરના બેડીમાં મોહરમ નિયાઝ પ્રસાદી બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું
જામનગરના બેડી સોઢા ફળી વિસ્તારમાં મોહરમ દરમિયાન નિયાઝની પ્રસાદી લેતી વખતે બાળકો વચ્ચે થયેલી સામાન્ય ધકામુક્કીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું. આ ઘટના બાદ બે જૂથો વચ્ચે પથ્થરમારો અને મારપીટ થતાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપવાના અને લાકડી-પથ્થરમારો કરવાના આરોપો છે. પોલીસે BNS અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી શાંતિ જાળવવા ચુસ્ત બંદોબસ્ત સાથે તપાસ શરૂ કરી છે.
જામનગરના બેડીમાં મોહરમ નિયાઝ પ્રસાદી બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું
પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે અમદાવાદના વૃદ્ધને લૂંટ્યા!
અમદાવાદ સાયબર ફ્રોડમાં હવે સિનિયર સિટીઝન્સને નિશાન બનાવાઈ રહ્યા છે. ચાંદખેડાના 70 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ સાથે બેન્ક અધિકારી તરીકે ખોટી ઓળખ આપી, પેન્શન કાર્ડ વેરિફિકેશનના બહાને APK ફાઈલ ઇન્સ્ટોલ કરાવી, તેમના બેન્ક ખાતામાંથી 39.70 લાખ રૂપિયા ડિજિટલી લૂંટી લેવાયા. વૃદ્ધની ટેકનોલોજીની ઓછી જાણકારીનો લાભ ઉઠાવી, ઠગે OTP મેળવી આ છેતરપિંડી આચરી. બાદમાં બેન્ક એકાઉન્ટ્સ બ્લોક કરાવી 1930 પર ફરિયાદ નોંધાવી છે.
પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે અમદાવાદના વૃદ્ધને લૂંટ્યા!
સુરતમાં યુવક-યુવતીએ હોટલમાં ઝેર પી જીવન ટૂંકાવ્યું
સુરતના સરથાણા ખાતે એક હોટલના રૂમમાં યુવક-યુવતીએ ઝેરી દવા પી આપઘાત કર્યો. જેમાં પહેલા યુવતીનું મોત થયું અને બાદમાં યુવકે પણ અંતિમ શ્વાસ લીધા. મૃતક દંપતીની ઓળખ 23 વર્ષીય માનસી ઉમરેટિયા અને 24 વર્ષીય અભય ત્રાડા તરીકે થઈ છે. બંનેએ બે વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા અને હાલમાં જ પરિવારની સંમતિથી સગાઈ થઈ હતી. આગામી સમયમાં તેમના સામાજિક લગ્ન થવાના હતા, પરંતુ પરિવાર તરફથી તારીખ ન મળતા સામાજિક લગ્નમાં અડચણ આવવાની શંકાથી આઘાતજનક પગલું ભર્યું હોવાની શક્યતા છે.
સુરતમાં યુવક-યુવતીએ હોટલમાં ઝેર પી જીવન ટૂંકાવ્યું
સુરેન્દ્રનગરમાં પંચરવાળા શ્રમિકના નામે પત્રકારે 75.28 કરોડનું આચર્યું કૌભાંડ
સુરેન્દ્રનગરના થાન પોલીસ મથકે પત્રકાર સહિત ત્રણ શખસો સામે 75.28 કરોડ રૂપિયાની મોટી છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ન્યૂઝપેપરમાં સભ્ય બનાવવાના બહાને ફરિયાદી પાસેથી ઓળખના પુરાવા મેળવી, ખોટી સહીઓ દ્વારા પેઢી ઊભી કરીને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. ફરિયાદી, જે પંચરની દુકાન ચલાવે છે, તેની પાસે વર્ષ 2012માં પત્રકાર કાળુ ઉર્ફે ભરત દવે આવ્યો હતો. તેણે ન્યૂઝપેપરના સભ્ય બનાવવાના બહાને ફોર્મમાં સહીઓ કરાવીને ફરિયાદીના નામે શ્રી મહાલક્ષ્મી એન્ટરપ્રાઈઝ નામની પેઢી શરૂ કરી. 2012થી 2016 દરમિયાન, કાળુ અને તેના સાગરિતોએ ફરિયાદીની ખોટી સહીઓનો ઉપયોગ કરીને લગભગ 71 કરોડ રૂપિયાના વ્યવહારો કર્યા, જેના કારણે ફરિયાદીને 4.27 કરોડ રૂપિયાની ઇન્કમટેક્સ નોટિસ પણ મળી.
સુરેન્દ્રનગરમાં પંચરવાળા શ્રમિકના નામે પત્રકારે 75.28 કરોડનું આચર્યું કૌભાંડ
કામાખ્યા મંદિરમાં અંબુબાચી મહાયોગ શરૂ
અસમમાં ગુવાહાટી સ્થિત પવિત્ર કામાખ્યા મંદિરમાં વાર્ષિક અંબુબાચી મહાયોગની શરૂઆત સાથે જ મંદિરના દ્વાર ભક્તો માટે ત્રણ દિવસ બંધ કરવામાં આવ્યા છે. આ પરંપરા દેવી કામાખ્યાના વાર્ષિક માસિક ધર્મ ચક્ર સાથે જોડાયેલી છે. આ સમયગાળા દરમિયાન ગર્ભગૃહમાં પૂજા-અર્ચના સ્થગિત રહેશે. 'પૂર્વના મહાકુંભ' તરીકે ઓળખાતા આ ઉત્સવમાં દેશ-વિદેશથી હજારો સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ભાગ લેવા આવે છે. આ મેળો સ્ત્રી શક્તિ અને ફળદ્રુપતાની પૂજા સાથે સંબંધિત છે. ત્રણ દિવસ બાદ મંદિર ખુલ્યા પછી ભક્તોને પવિત્ર પ્રસાદ મળશે.
કામાખ્યા મંદિરમાં અંબુબાચી મહાયોગ શરૂ
લખનૌ અગ્નિકાંડ: ૧૫ લોકોના મોત, ૪ અધિકારીઓ સસ્પેન્ડ, ૧૦ વર્ષ જૂનો ગેરકાયદે બાંધકામનો મામલો
લખનૌના અલીગંજમાં ત્રણ માળની ઇમારતમાં ભીષણ આગ લાગતાં ૧૫ લોકોના મોત અને ૯ ઘાયલ થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓ સાથે બેઠક યોજી, બેદરકારી બદલ ૪ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. ઇમારતના સંયુક્ત માલિકો સહિત ૪ લોકોની ધરપકડ કરાઈ છે. PM અને CM દ્વારા મૃતકોના પરિજનોને આર્થિક સહાય જાહેર કરાઈ છે. બે સભ્યોની SIT ટીમ ૭ દિવસમાં રિપોર્ટ સોંપશે. મહત્વનું છે કે, આ ગેરકાયદે બાંધકામ ધરાવતી ઇમારતને ૨૦૧૬માં જ તોડી પાડવાનો આદેશ હતો, જે પછીથી પાછો ખેંચી લેવાયો હતો.
લખનૌ અગ્નિકાંડ: ૧૫ લોકોના મોત, ૪ અધિકારીઓ સસ્પેન્ડ, ૧૦ વર્ષ જૂનો ગેરકાયદે બાંધકામનો મામલો
પંચમહાલ GRD જવાન દ્વારા ૧૫ લાખનો દારૂ બુટલેગરને વેચ્યો
પંચમહાલ જિલ્લાના કાંકણપુર પોલીસ મથકમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં GRD જવાન પર જપ્ત કરાયેલ ૧૫.૨૦ લાખ રૂપિયાનો વિદેશી દારૂ બુટલેગરોને વેચી મારવાનો આરોપ છે. આ મામલો પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ પરથી સામે આવ્યો છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, દારૂનો મોટો જથ્થો એક ઇકો કારમાં ભરીને લઈ જવામાં આવી રહ્યો હતો. આ પુરાવાના આધારે, પોલીસ મથકના GRD જવાન નરેન્દ્ર બારિયા સામે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ પોલીસ બેડામાં ચકચાર મચાવી છે.
પંચમહાલ GRD જવાન દ્વારા ૧૫ લાખનો દારૂ બુટલેગરને વેચ્યો
જામનગરમાં પિતા-પુત્રે કર્યું 23 કરોડનું GST કૌભાંડ!
જામનગરના દરેડ GIDC ફેસ-3માંથી 'માંડવરા ટ્રેડિંગ કંપની' દ્વારા 23 કરોડ રૂપિયાનું GST કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. SGST વિભાગે બોગસ બિલિંગ અને ખોટી વેરાશાખ (ITC) મેળવવાના આરોપસર સંચાલક પિતા-પુત્ર, આયુષ સુરેશચંદ્ર શાહ અને સુરેશચંદ્ર મૂલચંદ્ર શાહની ધરપકડ કરી છે. તેમણે વાસ્તવિક માલસામાનની હેરફેર વિના, માત્ર કાગળ પર જ અંદાજે રૂ. 23.08 કરોડની ખોટી વેરાશાખ ઊભી કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. આ મેગા-રેડથી વ્યાપારી વર્ગમાં ફફડાટ ફેલાયો છે. SGST વિભાગ આર્થિક વ્યવહારો અને કનેક્શન્સની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે.
જામનગરમાં પિતા-પુત્રે કર્યું 23 કરોડનું GST કૌભાંડ!
ગુજરાત હાઈકોર્ટ: નિયમિત બાંધકામ રદ કરવાની સત્તા નિયુક્ત સત્તાધિકારી પાસે નથી
ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, એકવાર 'ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ, 2011' હેઠળ મંજૂર કરાયેલ પ્રોપર્ટી રેગ્યુલરાઈઝેશન (ઈમ્પેક્ટ ફી)ના આદેશની સમીક્ષા કરવાની કે તેને રદ કરવાની મ્યુનિસિપલ સત્તાધિકારી પાસે કોઈ કાનૂની સત્તા નથી. જસ્ટિસ નિરલ આર. મહેતાએ અમદાવાદના સ્વસ્તિક કોમ્પલેક્ષના રેગ્યુલરાઈઝેશન રદ કરતો મ્યુનિસિપલ કોર્પોરેશનનો આદેશ રદ કર્યો. કોર્ટે કહ્યું કે, કલમ 8 સત્તાધિકારીને ભૂતકાળના આદેશને ફરીથી ખોલવાની સત્તા આપતી નથી.
ગુજરાત હાઈકોર્ટ: નિયમિત બાંધકામ રદ કરવાની સત્તા નિયુક્ત સત્તાધિકારી પાસે નથી
ગુજરાત વરસાદમાં બન્યું 'ડ્રાય સ્ટેટ', હજુ 84 ટકાની ઘટ!
ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર આગમનની રાહ જોવાઈ રહી છે, પરંતુ અત્યાર સુધી વરસાદની 84% ઘટ નોંધાઈ છે, જે ચિંતાનો વિષય છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાત વરસાદની ઘટ ધરાવતું બીજું રાજ્ય બન્યું છે. હવામાન નિષ્ણાતોના મતે, દક્ષિણ-પશ્ચિમ પવનોની નબળાઈ અને વાતાવરણમાં અનુકૂળ પરિબળોના અભાવે ચોમાસાની પ્રગતિ ધીમી પડી છે, જે લગભગ બે અઠવાડિયા સુધી અટકી ગઈ છે. જોકે, હવે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે અને ચોમાસું દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આગામી 24 થી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં, ત્યારબાદ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સક્રિયતાની સંભાવના છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટી હેઠળ 46 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે.
ગુજરાત વરસાદમાં બન્યું 'ડ્રાય સ્ટેટ', હજુ 84 ટકાની ઘટ!
ગીરમાં સિંહોના મોત: વન વિભાગની પોલ ખુલવાનો ડર?
ગુજરાતના ગૌરવ સમા ગીરના જંગલમાં તાજેતરમાં 8 થી વધુ એશિયાઈ સિંહોના રહસ્યમય મોત બાદ વન વિભાગ અને સરકાર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) સુધી પહોંચેલા આ મામલે, સિંહોના મોતનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, 'કૅનાઇન ડિસ્ટેમ્પર વાયરસ' (CDV) ને જવાબદાર ગણાવવામાં આવી રહ્યું છે. જોકે, સરકાર દ્વારા રિપોર્ટ જાહેર ન કરવાથી વન્યજીવ પ્રેમીઓમાં રોષ છે. નિષ્ણાતોના મતે, સરકાર પોતાની નિષ્ફળતા છુપાવી રહી છે.
ગીરમાં સિંહોના મોત: વન વિભાગની પોલ ખુલવાનો ડર?
ગુજરાતમાં ‘ટ્રફ’ને કારણે મધ્ય અને દક્ષિણમાં વરસાદી માહોલ
ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવ્યો છે. એક મજબૂત વરસાદી ‘ટ્રફ’ પસાર થતાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ‘યલો એલર્ટ’ જાહેર કરાયું છે. છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ભાવનગર અને સુરતના ઉમરપાડામાં 2-2 ઈંચ પાણી વરસ્યું. નવસારી, નર્મદા અને તાપીમાં પણ ભારે વરસાદ થયો. હવામાન વિભાગે આગામી કલાકોમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
ગુજરાતમાં ‘ટ્રફ’ને કારણે મધ્ય અને દક્ષિણમાં વરસાદી માહોલ
GSFCના 68 કર્મચારીઓને 1 વર્ષથી પગાર ન મળતાં વિરોધ!
વડોદરા GSFC(Gujarat State Fertilizers & Chemicals Limited)માં 2003થી કાર્યરત 68 કર્મચારીઓએ કોર્ટના આદેશ છતાં 1 વર્ષથી પગાર ન મળતાં કંપની ગેટ પર પુષ્પહાર પહેરાવી, શ્રીફળ વધેરી તાળાબંધી કરી વિરોધ પ્રદર્શિત કર્યો. નોકરી અને પગાર આપોના પોસ્ટર સાથે થયેલા આ વિરોધમાં ધારાસભ્યના પિતરાઈ વીરેન્દ્રસિંહ જાડેજા પણ જોડાયા. કર્મચારીઓના જણાવ્યા અનુસાર, 2020માં કાર્ય બંધ થયા બાદ પણ લેબર કોર્ટના મનાઈ હુકમને ધ્યાનમાં રાખી કંપની નિયમિત પગાર ચૂકવતી હતી. જોકે, 1 ફેબ્રુઆરી, 2025થી અચાનક પગાર બંધ થતાં આર્થિક મુશ્કેલી સર્જાઈ છે. 12 મહિનાનો પગાર બાકી હોવાથી 25 પરિવારોના બાળકોને ખાનગી સ્કૂલમાંથી સરકારી શાળામાં ખસેડવા પડ્યા.