મહેશ નવમી નિમિત્તે સુરત શહેર અને જિલ્લામાં 7 સ્થળોએથી નીકળશે શોભાયાત્રા
મહેશ નવમી નિમિત્તે સુરત શહેર અને જિલ્લામાં 7 સ્થળોએથી નીકળશે શોભાયાત્રા
Published on: 23rd June, 2026

મહેશ નવમી નિમિત્તે સુરત શહેર અને જિલ્લામાં મહેશ્વરી સમાજના 9300 પરિવારના 35000 થી વધુ લોકો ભવ્ય ઉજવણી કરશે. ઘોડદોડ રોડ, પુણા, પરવટ પાટિયા, ડુંભાલ સહિત કુલ સાત સ્થળોએથી શોભાયાત્રા નીકળશે. ઘોડદોડ રોડની શોભાયાત્રા મહેશ્વરી ભવન ખાતે પૂર્ણ થશે જ્યાં 251 પૂજન થશે, જ્યારે પર્વત પાટિયા વિસ્તારની શોભાયાત્રા મહેશ્વરી સેવા સદન ખાતે પહોંચશે જ્યાં 251 શિવલિંગની પૂજા થશે. કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સમૂહ ભોજન અને વિશેષ સન્માન સમારોહ પણ યોજાશે.