સુરત મનપાના મેયર સહિત પાંચ પદોની પસંદગી, સુરતી-સૌરાષ્ટ્રીયન જૂથો વચ્ચે ખેંચતાણ.
સુરત મનપાના મેયર સહિત પાંચ પદોની પસંદગી, સુરતી-સૌરાષ્ટ્રીયન જૂથો વચ્ચે ખેંચતાણ.
Published on: 06th May, 2026

સુરત મનપાના મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી માટે 8 મેના રોજ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે. આ બેઠકમાં ધારાસભ્યો, સાંસદો અને શહેર ભાજપના હોદ્દેદારો હાજર રહી મંતવ્યો રજૂ કરશે. દરેક પદ માટે પાંચ-પાંચ નામોની યાદી તૈયાર કરાઈ છે. સુરતી, સૌરાષ્ટ્રવાસી અને પરપ્રાંતીય સમાજ વચ્ચે કોને વધુ પ્રતિનિધિત્વ મળશે તે મુખ્ય મુદ્દો રહેશે. પોતાના બૂથમાં ઓછા મત મળનાર દાવેદારને પદ ફાળવણીમાં ફેરબદલ થઈ શકે છે.