Menu
Ahmedabad plan Crash: પ્લેન ક્રેશ થયું ત્યારે 322 KMની સ્પીડ હતી
Ahmedabad plan Crash: પ્લેન ક્રેશ થયું ત્યારે 322 KMની સ્પીડ હતી
Published on: 12th June, 2025

અમદાવાદના મેઘાણીનગર IGP કમ્પાઉન્ડમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 242 મુસાફરો સવાર હતા. નોંધનીય છે કે વિમાન 322 કિ.મી. ચાલતું હતું અને 191 મીટર ઉંચાઈએ ઉડી રહ્યું હતું. ઘટનાને પગલે ફાયર, પોલીસ અને BSF દ્વારા રાહત કામગીરી શરૂ કરી દેવાઈ છે, અને NDRFની 4 ટીમ રેસ્ક્યુ માટે મોકલવામાં આવી છે. દુર્ઘટનામાં 60 લોકોના મોત થયાં હોવાના સમાચાર છે અને તેમના મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં મોકલાયા છે. ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે .