Menu
અમદાવાદ પ્લેન ક્રેશ: વિમાનમાં 242 લોકો સવાર, અમિતશાહે મુખ્યમંત્રી સાથે કરી વાતચીત
અમદાવાદ પ્લેન ક્રેશ: વિમાનમાં 242 લોકો સવાર, અમિતશાહે મુખ્યમંત્રી સાથે કરી વાતચીત
Published on: 12th June, 2025

અમદાવાદમાં મેઘાણીનગર વિસ્તારમાં AI-171 એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થયું છે, જેમાં કુલ 242 લોકો સવાર હતા. ફ્લાઇટ લંડન જઇ રહી હતી અને ટેકનિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયું છે. ઘટના સ્થળે NDRF ની 2 ટીમ ગઇ છે અને રાહત-બચાવ કામગીરી ચાલુ છે. ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી અને મદદનુ આશ્વાસન આપ્યું છે. સૂત્રો અનુસાર પૂર્વ સીએમ વિજય રૂપાણી આ ફ્લાઇટમાં ન હતા, તે અલગ ફ્લાઇટમાં હતા.