Menu
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાનું સોશિયલ મીડિયા DP કેમ થયું બ્લેક?
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાનું સોશિયલ મીડિયા DP કેમ થયું બ્લેક?
Published on: 12th June, 2025

ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાના AI-171 વિમાનનો ક્રેશ ઉડાન ભર્યાના થોડા મિનીટમાં જ થયો હતો. આ વિમાન બોઈંગ 787-8 ડ્રીમલાઈનર હતું, જેમાં 242 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો સવાર હતા. દુર્ઘટનામાં 130 થી વધુ લોકોના મોત થયા હોવાના સમાચાર છે. આ વિમાને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી બપોરે 1:38 વાગ્યે લંડન જવા માટે ઉડાન ભરી હતી અને બપોરે 1:40 વાગ્યે ક્રેશ થયું હતું. DGCA મુજબ પાયલોટ સુમિત સભરવાલ અને સહ પાયલોટને દાયકાઓનો અનુભવ છે. રાહત માટે NDRF સહિત છ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. PM મોદી અને અમિત શાહ ઘટના વિશે તપાસ કરી રહ્યા છે.