જામનગરમાં શ્રાવણની શરૂઆતમાં મેઘરાજાની છૂટાછવાયા ઝાપટાં
જામનગરમાં શ્રાવણની શરૂઆતમાં મેઘરાજાની છૂટાછવાયા ઝાપટાં
Published on: 13th August, 2026

શ્રાવણ માસના પ્રારંભે જામનગર જિલ્લામાં મેઘરાજાએ ફરી નિરાશ કર્યા છે. શહેર અને કાલાવડમાં માત્ર છાંટણાં થયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં જામનગર શહેરમાં ફક્ત ૧ મિ.મી. અને કાલાવડમાં ૩ મિ.મી. વરસાદ નોંધાયો. સાંજે વાદળો ઘેરાયા બાદ ઝાપટું આવીને અટકી ગયું. શ્રાવણના પવિત્ર માસમાં સારા વરસાદની આશા હતી, જે અધૂરી રહી. ખેડૂતો સારા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. જામનગરમાં ભેજનું પ્રમાણ ૯૩% રહ્યું.