સુરતમાં યુદ્ધની અસર, એપ્રિલમાં ઇન્ટરનેશનલ પેસેન્જર્સમાં નોંધપાત્ર ઘટાડો
સુરતમાં યુદ્ધની અસર, એપ્રિલમાં ઇન્ટરનેશનલ પેસેન્જર્સમાં નોંધપાત્ર ઘટાડો
Published on: 29th May, 2026

આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની પરિસ્થિતિને કારણે સુરતના એવિએશન સેક્ટર પર નકારાત્મક અસર પડી છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિદેશ યાત્રા કરનારા મુસાફરોની સંખ્યામાં એપ્રિલ મહિના દરમિયાન ઘટાડો નોંધાયો છે. મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે સુરતથી ઓપરેટ થતી મુખ્ય આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો અટકી પડી છે, જેના લીધે પ્રવાસીઓનો ગ્રાફ નીચે આવ્યો છે. જાન્યુઆરીમાં ૨૩,૬૦૦ પ્રવાસીઓની સરખામણીએ એપ્રિલમાં આ આંકડો માત્ર ૪,૧૧૪ પર આવી ગયો છે. શારજાહ અને દુબઈ રૂટ પર અસર થતાં વેપારીઓ માટે મુશ્કેલી વધી છે.