
Ahmedabad: સાબરમતિ નદીમાં જળયાત્રા પહેલા ફાયર વિભાગની મોકડ્રીલ યોજાઈ
Published on: 10th June, 2025
અમદાવાદમાં 148મી ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા સાબરમતી નદીમાં જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસર પર નદીમાં મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ ગંગાપૂજન કરતાં હોય છે અને ભક્તો, સાધુ સંતો અને રાજકીય નેતાઓ પણ હાજર રહે છે. આ નદીમાં કોઈ દુર્ઘટના ન થાય એની ખાતરી માટે અમદાવાદના ફાયર વિભાગે જળયાત્રા સ્થળ પર મોકડ્રીલ યોજી હતી. તેમાં નદીમાં ડૂબવાથી લઈને રેસ્ક્યૂ અને હોસ્પિટલ સુધીની વ્યવસ્થાની ચકાસણી કરાઇ અને એમ્બ્યુલન્સ અને ફાયર ટિમ સહિતની પૂરતી તૈયારી કરવામાં આવી છે.
Ahmedabad: સાબરમતિ નદીમાં જળયાત્રા પહેલા ફાયર વિભાગની મોકડ્રીલ યોજાઈ

અમદાવાદમાં 148મી ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા સાબરમતી નદીમાં જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસર પર નદીમાં મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ ગંગાપૂજન કરતાં હોય છે અને ભક્તો, સાધુ સંતો અને રાજકીય નેતાઓ પણ હાજર રહે છે. આ નદીમાં કોઈ દુર્ઘટના ન થાય એની ખાતરી માટે અમદાવાદના ફાયર વિભાગે જળયાત્રા સ્થળ પર મોકડ્રીલ યોજી હતી. તેમાં નદીમાં ડૂબવાથી લઈને રેસ્ક્યૂ અને હોસ્પિટલ સુધીની વ્યવસ્થાની ચકાસણી કરાઇ અને એમ્બ્યુલન્સ અને ફાયર ટિમ સહિતની પૂરતી તૈયારી કરવામાં આવી છે.
Published at: June 10, 2025
Read More at સંદેશ