બ્રિટિશકાળના રેલવે ગરનાળાની ટ્રાફિક સમસ્યા
બ્રિટિશકાળના રેલવે ગરનાળાની ટ્રાફિક સમસ્યા
Published on: 05th July, 2026

દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે લીમખેડા-ઝાલોદ હાઇવે પર આવેલા બ્રિટિશકાલીન રેલવે ગરનાળાની મુલાકાત લીધી. તેમણે પશ્ચિમ રેલવેના રતલામ ડિવિઝનના DRM સાથે સ્થળ નિરીક્ષણ કર્યું, જેનો મુખ્ય હેતુ વર્ષોથી સર્જાતી ટ્રાફ્કિ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવાનો હતો. સાંકડા માર્ગને કારણે થતા ટ્રાફ્કિ જામ, અકસ્માતનું જોખમ અને ઈમરજન્સી સેવાઓમાં વિલંબ જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરાયું. ગરનાળું પહોળું કરવાની માંગણી અંગે ટેકનિકલ પાસાઓ પર ચર્ચા થઈ. રેલવે વિભાગને સત્વરે કાર્યવાહીના નિર્દેશ અપાયા છે, જે વાહનવ્યવહાર સુગમ અને સુરક્ષિત બનાવશે.