અમદાવાદના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો
અમદાવાદના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો
Published on: 04th July, 2026

સુરત CP તરીકે કાર્યરત IPS અનુપમસિંહ ગેહલોતે અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે. રાજ્યના DGP અને અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર જી.એસ મલિકે તેમને વિધિવત ચાર્જ સોંપ્યો. ગેહલોતે કહ્યું કે, સામાન્ય નાગરિકોને હેરાન કરનારાઓ સામે કાર્યવાહી થશે અને પોલીસનું વર્તન પણ નાગરિકો પ્રત્યે યોગ્ય જળવાશે. તેમણે અમદાવાદમાં કાયદો-વ્યવસ્થા જાળવવા, આગામી રથયાત્રાનું વ્યવસ્થાપન, વિકસતા શહેરમાં ટ્રાફિક સમસ્યા અને કોમનવેલ્થ ગેમ્સ જેવી ઇવેન્ટ્સ માટેના પડકારો પર ભાર મૂક્યો.