Menu
Ahmedabad Plane Crash :  PM મોદીએ અધિકારી સાથે યોજી ઉચ્ચસ્તરીય બેઠક
Ahmedabad Plane Crash : PM મોદીએ અધિકારી સાથે યોજી ઉચ્ચસ્તરીય બેઠક
Published on: 13th June, 2025

અમદાવાદમાં થયેલા પ્લેનક્રેશ દુર્ઘટનાથી સમગ્ર દેશ સ્તબ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ઘટના સ્થળનું નિરીક્ષણ કરવા અમદાવાદ આવ્યા હતા. તેઓએ દુર્ઘટનાથી નુકસાન થયેલી મેડિકલ હોસ્ટેલ અને મેસ બિલ્ડિંગની મુલાકાત લીધી. PM સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય મંત્રીઓ અને વહીવટીતંત્રના સૌથી ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ વડા ઉપસ્થિત રહ્યા. તેમણે સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત દર્દીઓ અને તબીબોની મુલાકાત લીધી. અંતે વડાપ્રધાન અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે દુર્ઘટનાની સમગ્ર પરિસ્થિતિ અંગે બેઠક યોજાઈ હતી.