અયોધ્યા બાદ અંબાજી મંદિરમાં દાન ચોરી!
અયોધ્યા બાદ અંબાજી મંદિરમાં દાન ચોરી!
Published on: 13th July, 2026

અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં થયેલ કરોડોની દાનચોરી બાદ હવે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ દાન ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટનાઓ, ખાસ કરીને જ્યારે હિન્દુત્વના દાવાઓ કરવામાં આવી રહ્યા હોય, ત્યારે યાત્રાધામોની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કરે છે. અંબાજીમાં, CCTV ફૂટેજના આધારે મુખ્ય આરોપી ચિરાગ ઠાકોરને રૂ. 1.04 લાખની ચોરી કરતા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા દાન ગણતરી પ્રક્રિયામાં નવી સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે, જેમાં CCTV કેમેરા અને લાઈવ પ્રસારણ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.