સુરતના વરાછામાં 'ફિટ ઈન્ડિયા'નો જુસ્સો
સુરતના વરાછામાં 'ફિટ ઈન્ડિયા'નો જુસ્સો
Published on: 06th September, 2026

સુરતના વરાછામાં 'ફિટ ઇન્ડિયા-સન્ડે ઓન સાયકલિંગ'ના 89મા આયોજનમાં હજારો યુવાનો અને નાગરિકો જોડાયા. સ્વસ્થ શરીર, સ્વચ્છ વિચારો અને વ્યસનમુક્ત યુવાધનના સંકલ્પ સાથે આ સાયક્લોથોન યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો. આ આયોજન દ્વારા 'નશા મુક્ત યુવા, વિકસિત ભારત'નો સંદેશ આપવામાં આવ્યો. રમતગમત ક્ષેત્રની અનેક હસ્તીઓ પણ આ કાર્યક્રમમાં સામેલ થઈ હતી.