સિદ્ધાંત અને તમન્નાની વી. શાંતારામની બાયોપિક વિલંબમાં
સિદ્ધાંત અને તમન્નાની વી. શાંતારામની બાયોપિક વિલંબમાં
Published on: 15th August, 2026

ભારતીય સિનેમાના પ્રયોગશીલ સર્જક વી. શાંતારામની બાયોપિકની જાહેરાત ગત ડિસેમ્બરમાં થઇ હતી. ફિલ્મનું શૂટિંગ એપ્રિલ ૨૦૨૬માં શરૂ થવાનું હતું, પરંતુ હવે તે એપ્રિલ ૨૦૨૭માં શરૂ થશે. આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં છે. દિગ્દર્શક અભિજિત શિરિષ દેશપાંડેએ અફવાઓને નકારી કાઢી જણાવ્યું કે શેડયુઅલ ખોરવાઇ જતાં મોડું થયું છે. આ ફિલ્મ વી. શાંતારામના પૌત્ર રાહુલ કિરણ શાંતારામ અને અન્ય નિર્માતાઓ દ્વારા બનાવવામાં આવી રહી છે.