80 વર્ષીય અભિનેત્રી ઉષા નાડકર્ણી: કરિયર, એકલતા અને દુઃખદ અંગત જીવન
80 વર્ષીય અભિનેત્રી ઉષા નાડકર્ણી: કરિયર, એકલતા અને દુઃખદ અંગત જીવન
Published on: 20th June, 2026

‘પવિત્ર રિશ્તા’ ફેમ અભિનેત્રી ઉષા નાડકર્ણી 80 વર્ષની ઉંમરે પણ અભિનયમાં સક્રિય છે. તેમણે તાજેતરમાં જ પોતાના અંગત જીવનના અનેક પાસાઓ પર ખુલાસા કર્યા છે. સામાન્ય રીતે લોકો 60 પછી નિવૃત્તિ વિશે વિચારે છે, ત્યારે ઉષાજી આજે પણ ટીવી, બોલિવૂડ અને થિયેટરમાં જોશપૂર્વક કામ કરી રહ્યા છે. અભિનય તેમનો શોખ જ નહીં, વ્યવસાય પણ છે. છેલ્લા 40 વર્ષથી તેઓ એકલા રહે છે અને પોતાના બધા કામ જાતે જ કરે છે. તેમણે ભૂતકાળમાં એકલતા અને ભૂતનો ડર લાગતો હોવાનું પણ સ્વીકાર્યું છે. સૌથી આઘાતજનક વાત એ છે કે તેમનો સગો પુત્ર પણ તેમને માતા માનતો નથી.