જામનગરમાં નશાની હાલતમાં પતિએ પત્ની સાથે ઝઘડો કર્યો
જામનગરમાં નશાની હાલતમાં પતિએ પત્ની સાથે ઝઘડો કર્યો
Published on: 15th September, 2026

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં પતિ નશાની હાલતમાં ઘરે આવી પત્ની સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. આ ઘટના બાદ પત્નીએ તાત્કાલિક 112 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી. પોલીસ સ્થળ પર પહોંચી અને નશામાં ધૂત પતિ ભીખુભાઈ મોરજીભાઈ ઘેડિયાને ઝડપી લીધો. પ્રાથમિક તપાસમાં તે દારૂ પીધેલ હોવાનું જણાઈ આવ્યું હતું, જેની પાસે કોઈ પાસ-પરમિટ નહોતી. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.