બાળક રૂમમાં જતાં વિસ્ફોટ, 10 શ્રમિકોના મોત, 300 રૂપિયા મજૂરી
બાળક રૂમમાં જતાં વિસ્ફોટ, 10 શ્રમિકોના મોત, 300 રૂપિયા મજૂરી
Published on: 21st July, 2026

અમદાવાદના વસ્ત્રાલ ખાતે ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં 10 શ્રમિકોના મોત થયા છે. ગેરકાયદે ફેક્ટરી ચલાવતા આરોપીઓએ કબૂલ્યું કે, વિસ્ફોટક (ગંધરક) રાખેલા રૂમમાં એક બાળક જતાં વિસ્ફોટ થયો. આ ફેક્ટરી આગામી તહેવારોને ધ્યાનમાં રાખી પુરજોશમાં ચાલતી હતી, જેમાં 10-12 શ્રમિકોને દૈનિક 300 રૂપિયા મજૂરી આપવામાં આવતી હતી. દુર્ઘટના સમયે ફેક્ટરીના સંચાલકો ઘટના સ્થળે હાજર હતા. આ બનાવ પાછળ બેદરકારીની શક્યતા છે.