સાઈદર્શન માર્કેટના વેપારીનું ઉઠમણું: 19 વેપારીઓના 1.41 કરોડ સલવાયા.
સાઈદર્શન માર્કેટના વેપારીનું ઉઠમણું: 19 વેપારીઓના 1.41 કરોડ સલવાયા.
Published on: 19th May, 2026

સુરતમાં સાઈદર્શન માર્કેટના વેપારી નિતેશ અગ્રવાલે દલાલો સાથે મળી 19 વેપારીઓ પાસેથી સાડી, એમ્બ્રોઇડરી, ડાયમંડ સ્ટોન વર્ક અને સિલાઈનો માલ પડાવી લીધો. તેણે 48.06 લાખનું એમ્બ્રોઈડરી જોબવર્ક કરાવી પેમેન્ટના વાયદા કર્યા. દુકાન બંધ કરી મોબાઈલ સ્વિચ ઓફ કરી રફુચક્કર થઈ જતા વેપારીઓના 1.41 કરોડ રૂપિયા સલવાયા. અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.