પાટણમાં વ્યાજખોરએ 5 હજારની ઉઘરાણીમાં મહિલાને જીવતી સળગાવી
પાટણમાં વ્યાજખોરએ 5 હજારની ઉઘરાણીમાં મહિલાને જીવતી સળગાવી
Published on: 14th July, 2026

પાટણ શહેરના ટાંકવાડા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. ઘરખર્ચ માટે લીધેલા 5 હજાર રૂપિયાના વ્યાજની ઉઘરાણી બાબતે એક મહિલા પર જ્વલનશીલ પ્રવાહી છાંટી જીવતી સળગાવી દેવામાં આવી. ગંભીર રીતે દાઝેલી મહિલાને ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું દુઃખદ અવસાન થયું. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાના બે બાળકોએ માતા ગુમાવી છે.