Menu
Mumbai: થાણેમાં ભીડના કારણે લોકલ ટ્રેન દુર્ઘટના, 8 યાત્રીના મોત
Mumbai: થાણેમાં ભીડના કારણે લોકલ ટ્રેન દુર્ઘટના, 8 યાત્રીના મોત
Published on: 09th June, 2025

મહારાષ્ટ્રના થાણેમાં મુંબ્રા અને દીવા સ્ટેશન વચ્ચે CSMT તરફ જઇ રહેલી લોકલ પુષ્પક ટ્રેનમાં 10-12 યાત્રી ટ્રેનમાંથી પડી ગયા. ભીડ વધતા યાત્રીઓ દરવાજા પર લટકીને મુસાફરી કરતા દરમિયાન આ દુર્ઘટના બની અને 8 યાત્રીઓના મોત થયા. ટ્રેનની કેપેસિટી કરતાં વધારે ભીડ હોવાને કારણે લોકો ટ્રેક પર પડ્યા. મળતી જાણકારીએ જણાવ્યુ કે મુંબ્રા સ્ટેશન પર યાત્રીઓની મોટા પ્રમાણમાં ભીડ હોય છે અને આ જ કારણ છે આ દુર્ઘટનાનું. રેલવે અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.