NIAનો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ પર કડક પ્રહાર.
NIAનો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ પર કડક પ્રહાર.
Published on: 25th May, 2026

NIA દ્વારા જમ્મુ-કાશ્મીરના સેન્ટ્રલ અને સાઉથ કાશ્મીર સહિત અનેક સ્થળોએ સામૂહિક દરોડા પાડવામાં આવ્યા છે. લાલ બજાર અને શોપિયાં જેવા વિસ્તારોમાં કાર્યવાહી ચાલુ છે. આ દરોડા જમાત-એ-ઇસ્લામીને ફરી સક્રિય કરવાની કોશિશ અને તેના દ્વારા અલગાવવાદને પ્રોત્સાહન આપવાના મામલે કરવામાં આવ્યા છે. ફેબ્રુઆરી 2024માં, કેન્દ્ર સરકારે 'જમાત-એ-ઇસ્લામી જમ્મુ-કાશ્મીર' પર UAPA હેઠળ આગામી 5 વર્ષ માટે પ્રતિબંધ લંબાવ્યો હતો. આ સંગઠન આતંકવાદ અને ભારત વિરોધી પ્રચારમાં સામેલ હોવાનો આરોપ છે.