જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી નેટવર્ક ફરીથી સક્રિય!
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી નેટવર્ક ફરીથી સક્રિય!
Published on: 27th May, 2026

પહેલગામ હુમલા બાદ સુરક્ષા દળોની સતર્કતાથી મોટો આતંકવાદી હુમલો ટળ્યો છે. પરંતુ, હવે ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધવાની આશંકા છે. લાંબા સમયથી નિષ્ક્રિય અલ-બદ્ર સંગઠન ખીણ પ્રદેશમાં ફરી સક્રિય થવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેઓ હિઝબુલ મુઝાહીદ્દીન સાથે મળીને રણનીતિ ઘડી રહ્યા છે. પાકિસ્તાનમાં અલ-બદ્રના કમાન્ડર હમઝા બુરહાનની હત્યાથી આતંકી સંગઠનને ફટકો પડ્યો હતો, પરંતુ તેને નબળું માનવાની ભૂલ કરવી ભારે પડી શકે છે.