સસ્તા સોનાની લાલચમાં ખેડૂતે જમીન ગીરવી મૂકી પાંચ લાખ ગુમાવ્યા
સસ્તા સોનાની લાલચમાં ખેડૂતે જમીન ગીરવી મૂકી પાંચ લાખ ગુમાવ્યા
Published on: 14th July, 2026

સસ્તુ સોનુ ખરીદવાની લાલચમાં છોટાઉદેપુર જિલ્લાના એક ખેડૂતે પોતાની જમીન ગીરવી મૂકી પાંચ લાખ રૂપિયા મેળવ્યા હતા. આ રકમ આપીને સોનાની ખરીદી કરતાં તે નકલી નીકળતાં ખેડૂત છેતરાયો હતો. ફરિયાદી ઇસલા ગોવિંદભાઈ રાઠવાને બે શખ્સોએ સંપર્ક કરી રાજા મહારાજાના સોનાની લાલચ આપી હતી. એક કિલો સોનાના બદલામાં પાંચ લાખ રૂપિયા આપવાની વાત કરવામાં આવી હતી. સોનાની ચકાસણીમાં તે અસલી જણાતા ખેડૂતે જમીન ગીરવી રાખી પૈસા મેળવ્યા અને સોનાની ખરીદી કરી, પરંતુ બાદમાં તે નકલી સાબિત થયું.