ધ્રોલથી જામનગર કોલેજ જવાનું કહી નીકળેલી ૧૯ વર્ષીય યુવતી લાપતા
ધ્રોલથી જામનગર કોલેજ જવાનું કહી નીકળેલી ૧૯ વર્ષીય યુવતી લાપતા
Published on: 15th September, 2026

ધ્રોલ તાલુકાના ખારવા ગામેથી ૧૯ વર્ષીય યુવતી રચનાબેન જયંતીભાઈ રાઠોડ જામનગરની એ.કે.દોશી કોલેજમાં જવાનું કહી ઘરેથી નીકળી હતી અને પરત ફરી ન હતી. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે સાત વાગ્યાની આસપાસ નીકળેલી યુવતી લાપતા થતાં પરિવારજનોએ સગા-સંબંધીઓમાં શોધખોળ કરી હતી. તેમ છતાં પત્તો ન લાગતાં ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. પોલીસે ગુમ નોંધ નં. ૦૫/૨૦૨૬ અને ઓનલાઈન જાણવાજોગ નં. ૧૪/૨૦૨૬ તરીકે નોંધ કરી યુવતીની શોધખોળ શરૂ કરી છે.