બોટાદની શાળાના આચાર્ય પર વિદ્યાર્થિની સાથે અડપલાં અને છેડતીના ગંભીર આક્ષેપો
બોટાદની શાળાના આચાર્ય પર વિદ્યાર્થિની સાથે અડપલાં અને છેડતીના ગંભીર આક્ષેપો
Published on: 27th August, 2026

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરાનિયા ગામની ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય હર્ષદભાઈ પ્રવીણભાઈ ઝાલા વિરુદ્ધ શાળાની વિદ્યાર્થિની સાથે અડપલાં અને છેડતીના ગંભીર આક્ષેપો બાદ રાણપુર પોલીસ સ્ટેશનમાં પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધાયો છે. સ્થાનિક રહીશો દ્વારા પોલીસ સ્ટેશનમાં હાજર રહી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અગાઉ પણ આચાર્ય સામે વિદ્યાર્થીઓને માર મારવા અને વિદ્યાર્થીનીઓ સાથે અયોગ્ય વર્તન કરવાના આક્ષેપો થયા હતા, જેની સત્યતા તપાસ બાદ સ્પષ્ટ થશે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને ફરિયાદમાં કરાયેલા આક્ષેપો અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ રહી છે.