જામનગરમાં પરિણીતાને દહેજ માટે ત્રાસ, પતિ, સાસુ, જેઠ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
જામનગરમાં પરિણીતાને દહેજ માટે ત્રાસ, પતિ, સાસુ, જેઠ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
Published on: 15th September, 2026

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતી 20 વર્ષીય પરિણીતાએ તેના પતિ, સાસુ અને જેઠ સામે દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવી છે. ફરિયાદ મુજબ, લગ્ન બાદ થોડા સમયથી જ નિકાહ થયેલ પરિણીતાને રૂ. 5 લાખ દહેજમાં લાવવા દબાણ કરવામાં આવતું હતું અને ન લાવે તો ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી અપાતી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023 અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.