જામનગરના દરેડમાં કિશોર હત્યા કેસના ચારેય આરોપીઓ જેલ ભેગા
જામનગરના દરેડમાં કિશોર હત્યા કેસના ચારેય આરોપીઓ જેલ ભેગા
Published on: 15th September, 2026

જામનગર તાલુકાના દરેડ ગામમાં પ્રેમસંબંધના મામલે 16 વર્ષના કિશોર સાગરની હત્યાના ચકચાર પ્રકરણમાં પોલીસે ચારેય આરોપીઓ દિનેશ જેઠાભાઈ ગોહીલ, જગદીશ જેઠાભાઈ ગોહીલ, રામકેશ ઉર્ફે પિન્ટુ પ્રેમનારાયણ પ્રજાપતિ અને અભી અગ્રાવતને જેલ હવાલે કર્યા છે. આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલો ધોકો અને મોબાઈલ ફોન કબજે કરાયા છે. મૃતકના મોટા ભાઈ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી. અદાલતમાં રજૂ કરાયેલા ચારેય આરોપીઓને હાલ જેલ ભેગા કરવામાં આવ્યા છે.