કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક
કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક
Published on: 06th September, 2026

અમદાવાદના ચાંદખેડામાં ગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. CCTV ફૂટેજમાં કિંજલ સ્વેચ્છાએ કારમાં બેસતી જોવા મળતાં આ ઘટના પૂર્વઆયોજિત હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. કિંજલે એક વીડિયો જાહેર કરી જણાવ્યું કે, તેણે મે, 2024માં અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. પરિવારના વિરોધને કારણે તેને પિયરમાં પરાણે રાખવામાં આવી હતી અને ત્યાં તેના જીવને જોખમ હતું. તેથી, તે પોતાની મરજીથી પતિ પાસે પરત આવી ગઈ છે અને તે સુરક્ષિત છે.