અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 2022થી ગુમ ત્રણ બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવ્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 2022થી ગુમ ત્રણ બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવ્યા
Published on: 06th September, 2026

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા જુલાઈ 2022 થી ગુમ થયેલા ત્રણ સગીર બાળકોને ગોધરા નજીકથી મુક્ત કરાવવામાં આવ્યા છે. આ બાળકોનું અપહરણ કરી, તેમને માત્ર 10 હજાર રૂપિયામાં વેચીને પશુપાલન અને મજૂરીકામ કરાવવામાં આવતું હતું. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી દિનેશ ઓડ અને ભરત ભરવાડને ઝડપી પાડ્યા છે. મુક્ત કરાયેલા બાળકોમાં એક સોલા વિસ્તારનો, એક વડોદરાનો અને એક સ્થાનિક ગામનો છે. બાળકોને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.