Ahmedabad:એસ્ટ્રોન નાલા પાસે બાઈક સ્લીપ થતાં શિક્ષકનું સારવારમાં મોત
Ahmedabad:એસ્ટ્રોન નાલા પાસે બાઈક સ્લીપ થતાં શિક્ષકનું સારવારમાં મોત
Published on: 02nd July, 2025

રૈયા રોડ પર રહેતા 63 વર્ષીય અરવિંદભાઈ મણવરનું બાઈક સ્લીપ થવાના કારણે મૃત્યુ થયું. તેઓ રજિસ્ટ્રાર ઓફિસમાં મિત્રના ડોક્યુમેન્ટ પર સાક્ષી તરીકે સહી કરવા જઈ રહ્યા હતા ત્યારે એસ્ટ્રોન નાલા પાસે આ ઘટના બની. ગંભીર ઈજા થવાના કારણે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું અવસાન થયું. તેઓ એક પ્રાઇવેટ સ્કૂલમાં ટીચર હતા. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.