હિંમતનગર-ખેડબ્રહ્મા ટ્રેન માટે સારા સમાચાર: વિદ્યુત ટ્રેન સંચાલનને મંજૂરી મળી, મુસાફરોને થશે ફાયદો.
હિંમતનગર-ખેડબ્રહ્મા ટ્રેન માટે સારા સમાચાર: વિદ્યુત ટ્રેન સંચાલનને મંજૂરી મળી, મુસાફરોને થશે ફાયદો.
Published on: 30th January, 2026

હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેના 55.672 કિમીના બ્રોડ ગેજ રેલખંડનું ઇલેક્ટ્રિફિકેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ પ્રોજેક્ટ ₹482 કરોડના ખર્ચે મંજૂર થયો હતો, જેનું શિલાન્યાસ પ્રધાનમંત્રીએ કર્યું હતું. PCEE રજનીશ કુમાર ગોયલે આ સેક્શનને યાત્રી અને માલગાડી સેવાઓ માટે અધિકૃત કર્યો છે. 08 જાન્યુઆરી 2026ના રોજ ઇલેક્ટ્રિક લોકોનો સફળ ટ્રાયલ થયો હતો. જેનાથી સુરક્ષિત અને કાર્યક્ષમ Railway transport મળશે.