Menu
જામનગરમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ, શ્રમિકોને વેતન મળતું નથી
જામનગરમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ, શ્રમિકોને વેતન મળતું નથી
Published on: 10th June, 2025

જામનગરમાં મનરેગા યોજનામાં શ્રમિક મહિલાઓએ ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે. તેમને અગાઉ 280 રૂપિયા વેતન રૂપે મળતાં હતાં, પરંતુ હાલમાં માત્ર 40 રૂપિયા જ આપવામાં આવે છે. લગભગ 200થી વધુ શ્રમિકો આ યોજનામાં કામ કરે છે અને વેતનમાં કૌભાંડ હોવાના કારણે તેમના માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ધુતારપુર ગામના કાર્યકરો આ બાબતે સ્પષ્ટતા મેળવવા તાલુકા પંચાયત ગયા છે. તેમણે ખાનગી ક્ષેત્ર અને પોલીસ દ્વારા પૂરતા પગાર ચૂકવવા અને વિલંબ કર્યા વિના સમસ્યાનો ઉકેલ લાવવા માટે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.